વડોદરા: રાવપુરા રોડ પર મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ, રેસ્ક્યુ કરી 2 લોકોના જીવ બચાવાયા

જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના લાશકારોને સફળતા હાથ લાગી હતી. દુકાનની અંદરનો સમગ્ર સામાન બળીને ખાસ થઈ ગયો

New Update
વડોદરાના રાવપુરા રોડ પર આવેલ મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી વડોદરાના મુખ્ય માર્ગ કહેવાતા રાવપુરા રોડ ઉપર આવેલ જૂની અને જાણીતી મેડિકલની દુકાન એટલે એરોય એન્ડ કંપનીમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હતો. આગનો બનાવ બનતા ની સાથે જ વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી હતી..
ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા તેઓની સાથે પોલીસ વિભાગ તેમજ એમ.જી.વી.સી.એલની ટીમ પણ સ્થળ ઉપર હાજર થઈ હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્થાનિક સૂત્રો દ્વારા ફાયર વિભાગ ને જાણ થતા ઉપર ફસાયેલા બે માણસોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા. જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના લાશકારોને સફળતા હાથ લાગી હતી. દુકાનની અંદરનો સમગ્ર સામાન બળીને ખાસ થઈ ગયો હતો
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.