વડોદરા: રાવપુરા રોડ પર મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ, રેસ્ક્યુ કરી 2 લોકોના જીવ બચાવાયા

જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના લાશકારોને સફળતા હાથ લાગી હતી. દુકાનની અંદરનો સમગ્ર સામાન બળીને ખાસ થઈ ગયો

New Update
વડોદરાના રાવપુરા રોડ પર આવેલ મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી વડોદરાના મુખ્ય માર્ગ કહેવાતા રાવપુરા રોડ ઉપર આવેલ જૂની અને જાણીતી મેડિકલની દુકાન એટલે એરોય એન્ડ કંપનીમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હતો. આગનો બનાવ બનતા ની સાથે જ વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી હતી..
ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા તેઓની સાથે પોલીસ વિભાગ તેમજ એમ.જી.વી.સી.એલની ટીમ પણ સ્થળ ઉપર હાજર થઈ હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્થાનિક સૂત્રો દ્વારા ફાયર વિભાગ ને જાણ થતા ઉપર ફસાયેલા બે માણસોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા. જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના લાશકારોને સફળતા હાથ લાગી હતી. દુકાનની અંદરનો સમગ્ર સામાન બળીને ખાસ થઈ ગયો હતો
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.