વડોદરા: પાલિકાએ પ્રથમવાર CCTVથી રખડતા ઢોરના ટેગ સ્કેન કરી તેના માલિકો સામે 9 પોલીસ કેસ કર્યા

હવે CCTVની મદદથી રખડતા ઢોર શોધી તેની ટેગના આધારે પશુપાલકો સામે પોલીસ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

New Update
વડોદરા: પાલિકાએ પ્રથમવાર CCTVથી રખડતા ઢોરના ટેગ સ્કેન કરી તેના માલિકો સામે 9 પોલીસ કેસ કર્યા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે CCTVની મદદથી રખડતા ઢોર શોધી તેની ટેગના આધારે પશુપાલકો સામે પોલીસ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્પોરેશને આ પ્રથમવાર શરૂ કરાયેલી કામગીરી હેઠળ 9 પશુપાલકો સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને અંકુશમાં લેવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવા પ્રથમવાર સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે.શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે હવે CCTVનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં આ પ્રથમવાર છે કે CCTVના આધારે રખડતા ઢોરના ટેગ સ્કેન કરી તેના માલિકો સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી હેઠળ હાલમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાં કુલ 9 પશુમાલિકો સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે. જેમાં વાડીમાં અને ગોરવામાં બે-બે, બાપોદ, ગોત્રી અને નવાપુરામાં એક-એક કેસ દાખલ કરાયો છે.શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે હવે CCTVનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં આ પ્રથમવાર છે કે CCTVના આધારે રખડતા ઢોરના ટેગ સ્કેન કરી તેના માલિકો સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.