વડોદરા: HMPV વાયરસના આગમન સામે સરકાર એલર્ટ,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

વડોદરામાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એક દિવસીય મુલાકાતે આવ્યા હતા.આ પ્રસંગે તેઓએ HMPV વાયરસ સંદર્ભે પણ પ્રતિક્રિયા આપી હતી.

New Update
  • વડોદરાની મુલાકાતે આરોગ્ય મંત્રી

  • HMPV વાયરસથી આરોગ્ય વિભાગ એલર્ટ

  • કોવિડના લક્ષણો કરતા આ વાયરસ છે માઈલ્ડ

  • હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે ટેસ્ટિંગ કિટ

  • વાયરસથી ભય મુક્ત રહેવા મંત્રીની અપી

વડોદરામાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એક દિવસીય મુલાકાતે આવ્યા હતા.આ પ્રસંગે તેઓએ HMPV વાયરસ સંદર્ભે પણ પ્રતિક્રિયા આપી હતી.

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા,તેઓએ પારુલ યુનિવર્સિટી,ગોત્રી GMERS કોલેજ તેમજ ફતેગંજ ખાતેની FDCA લેબની મુલાકાત લીધી હતી,આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે HMPV વાયરસ નવો નથી,આ જુનો વાઇરસ છે. જે પ્રકારના કોવિડમાં લક્ષણો હતાતેના કરતા પણ ઓછા લક્ષણો છે.હાલ ગુજરાતમાં એક કેસ નોંધાયો છે.RTPCRની વ્યવસ્થા કરવામાં આવી છેઆનાથી ડરવાની જરૂર નથી. આ સાથે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઇડલાઈન આવે તે પ્રમાણે તેને ફોલો કરવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોવિડ અંતર્ગત આ વાયરસમાં સારવાર આપવામાં આવી રહી છે.અને ટેસ્ટ માટેની જરૂરી કિટો બે ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં પહોંચી જશે.તેમજ આ વાયરસથી લોકોને ડરવાની કોઈ જરૂર ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.