વડોદરા: ડેસરમાં મહીસાગર નદીના પૂરના પાણી વચ્ચે પથ્થર પર ફસાયેલા વ્યકિતનું દિલધડક રેસ્ક્યુ

મહીસાગર નદીના પૂરના પાણીમાં પથ્થર પર 50 વર્ષીય કિર્તન સોમાભાઈ ગરાસીયા ફસાયા હતા. આ અંગે તેમના દીકરાને વાતની જાણ થતા તંત્ર ગણનો સંપર્ક સાધ્યો હતો

New Update

વડોદરા જિલ્લામાં પૂરીથી આફત 

મહીસાગર નદીમાં ફસાયેલા વ્યક્તિનું કરાયું રેસ્ક્યુ 

36 કલાક બાદ હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યુ 

ફતેગંજ પોલીસની પ્રસંશનીય કામગીરી

હોસ્પિટલના દર્દીનું ઓક્સિજન બોટલ સાથે કર્યું રેસ્ક્યુ 

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસડા ખાતે એક વ્યક્તિ મહીસાગર નદીના પૂરના પાણી વચ્ચે પથ્થર પર ફસાયા હતા,જેમનું હેલિકોપ્ટર દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું,આ ઉપરાંત ફતેગંજ પોલીસે પણ નરહરિ અમીન હોસ્પિટલ માંથી એક દર્દીનું ઓક્સિજનના બોટલ સાથે રેસ્ક્યુ કર્યું હતું.  

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસડા ગામ ખાતેથી પસાર થતી  મહીસાગર નદીના પૂરના પાણીમાં પથ્થર પર 50 વર્ષીય કિર્તન સોમાભાઈ ગરાસીયા ફસાયા હતા. આ અંગે તેમના દીકરાને વાતની જાણ થતા તંત્ર ગણનો સંપર્ક સાધ્યો હતો,અને મહીસાગર નદી કિનારે ડેસર મામલતદાર ડી એ સોલંકીતાલુકા વિકાસ અધિકારી તેજસ પટેલડેસર પોલીસ મથકના પીએસઆઇ ભરવાડ સહિત સ્ટાફ દોડી આવીને રેસ્ક્યુ ઓપરેશન બાબતે ચર્ચા કરી નિર્ણય લીધો હતો.

જોકે તંત્રના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા,તેથી સૌરાષ્ટ્ર અને જોધપુરથી હેલિકોપ્ટર દ્વારા તેઓનું રેસ્ક્યુ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી,જોકે ખરાબ વાતાવરણને કારણે તંત્રનો એ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.પરંતુ મહારાષ્ટ્રથી મદદે બોલવામાં આવેલા હેલિકોપ્ટરની મદદથી આખરે 36 કલાક બાદ કિર્તન ગરાસીયાનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફતેગંજ પોલીસની ટીમ દ્વારા નરહરી હોસ્પિટલથી ઓક્સિજન સિલિન્ડર સાથે દર્દીનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.