વડોદરા:આ સ્થળે માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે,વર્ષોથી ચાલી આવે છે પરંપરા !

વડોદરાના માંડવી સ્થિત અંબામાતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીં વર્ષોથી ફક્ત પુરુષોજ ગરબા ગાય છે.સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે.

New Update

શારદીય નવરાત્રીની ઉજવણી

વડોદરામાં કરવામાં આવે છે અનોખી ઉજવણી

અંબે માતાના મંદિરે માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે

પુરુષ ગાયક વૃંદ જ ગરબા ગવડાવે છે

વર્ષોથી ચાલી આવે છે પરંપરા

વડોદરાના માંડવી સ્થિત અંબામાતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીં વર્ષોથી ફક્ત પુરુષોજ ગરબા ગાય છે.સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે.
વડોદરાના હાર્દ સમા માંડવી ટાવર નજીક ઘડિયાળીપોળના નાકે સુપ્રસિધ્ધ અંબાજી માતાજીના મંદિર ચોકમાં કોઇ પણ જાતના દંભ-દેખાડા કે પ્રતિસ્પર્ધા વગર માત્ર પુરુષોના જ ગરબા યોજાય છે, જેમાં, માત્ર પુરુષ ગાયકવૃંદના તાલે પુરુષો જ ગરબે ઘુમી પરંપરા નિભાવે છે. અંબા માતાજીના મંદિરે સહુ કોઈ દર્શન કરે છે પરંતુ સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ફક્ત પુરુષો જ  ગરબા ગવડાવે છે અને ગરબે ઘૂમે છે. માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે.સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે. સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે રમી શકતી નથી.મંદિરના પૂજારીએ અહીં રમતા ગરબાનું મહત્વ અને વિશેષતા જણાવી હતી.
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.