વડોદરા:આ સ્થળે માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે,વર્ષોથી ચાલી આવે છે પરંપરા !

વડોદરાના માંડવી સ્થિત અંબામાતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીં વર્ષોથી ફક્ત પુરુષોજ ગરબા ગાય છે.સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે.

New Update

શારદીય નવરાત્રીની ઉજવણી

વડોદરામાં કરવામાં આવે છે અનોખી ઉજવણી

અંબે માતાના મંદિરે માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે

પુરુષ ગાયક વૃંદ જ ગરબા ગવડાવે છે

વર્ષોથી ચાલી આવે છે પરંપરા

વડોદરાના માંડવી સ્થિત અંબામાતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીં વર્ષોથી ફક્ત પુરુષોજ ગરબા ગાય છે.સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે.
વડોદરાના હાર્દ સમા માંડવી ટાવર નજીક ઘડિયાળીપોળના નાકે સુપ્રસિધ્ધ અંબાજી માતાજીના મંદિર ચોકમાં કોઇ પણ જાતના દંભ-દેખાડા કે પ્રતિસ્પર્ધા વગર માત્ર પુરુષોના જ ગરબા યોજાય છે, જેમાં, માત્ર પુરુષ ગાયકવૃંદના તાલે પુરુષો જ ગરબે ઘુમી પરંપરા નિભાવે છે. અંબા માતાજીના મંદિરે સહુ કોઈ દર્શન કરે છે પરંતુ સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ફક્ત પુરુષો જ  ગરબા ગવડાવે છે અને ગરબે ઘૂમે છે. માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે.સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે. સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે રમી શકતી નથી.મંદિરના પૂજારીએ અહીં રમતા ગરબાનું મહત્વ અને વિશેષતા જણાવી હતી.
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.