/connect-gujarat/media/post_banners/12905511c8cebcdbaa9a9fffc462fecaea629289b7d54eb73f56b94c0bb49616.jpg)
ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને મહેસુલી કર્મચારીઓએ વેગવંતી બનાવી દીધી છે. આવતીકાલે શુક્રવારે રાજયના તમામ મામલતદારો માસ સીએલ પર ઉતરી જશે. એ પહેલાં ગુરૂવારે મામલતદારોએ કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવ્યો હતો.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરજણના મામલતદાર સાથે અશોભનીય વર્તન કરી ગાળો બોલવાના વિરોધમાં આજરોજ રાજ્યના તમામ મામલતદારો કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી. જ્યારે આવતીકાલે 4 માર્ચના રોજ મામલતદારો માસ સીએલ પર ઉતરશે. નારેશ્વર નજીક આવેલાં માલોદ પાસે રેતી ભરેલાં ડમ્પરની ટકકરે ત્રણ લોકોના મોત થયાં હતાં. ઘટના બાદ સ્થળ પર પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ કરજણના મામલતદારને ગાળો ભાંડી હતી. સોશિયલ મિડીયામાં આ વિડીયો વાયરલ થયો હતો. સાંસદ મનસુખ વસાવા માફી માંગે તેવી માંગ સાથે વડોદરામાં મહેસુલી કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું હતું. આજદિન સુધી સાંસદે માફી નહી માંગતા આંદોલનને ઉગ્ર બનાવી દેવાયું છે. ગુરૂવારે મહેસુલી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવ્યો હતો અને આવતીકાલે શુક્રવારે રાજયના તમામ મામલતદારો માસ સીએલ પર જશે તેવી જાહેરાત કરાય છે.
સાંસદ મનસુખ વસાવા અને મહેસુલી કર્મચારીઓ વચ્ચેનો વિવાદ આગામી દિવસોમાં વકરે તેવા એંધાણ છે. સાંસદ મનસુખ વસાવાની તરફેણમાં પણ આવેદનપત્રો આપવામાં આવી રહયાં છે. આમ બંને પક્ષો આવેદનના માધ્યમથી એકબીજા સામે તાકાત પ્રદર્શન કરી રહયાં છે. વડોદરાની સાથે સાથે ભરૂચ અને અંકલેશ્વરમાં પણ મામલતદારો તેમજ મહેસુલી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સાંસદના વર્તન અને વાણી વિલાસ સામે મુક વિરોધ દર્શાવ્યો હતો.