વડોદરા : MSU દ્વારા સયાજી લોક કલા ઉત્સવ-2025 યોજાયો, વસંતના પવિત્ર આગમનને સંગીત-નૃત્ય-નાટ્યએ ભવ્યતા અર્પી

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સંસ્થાના કોન્સર્ટ હોલ ખાતે સયાજી લોક કલા ઉત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું

New Update
  • વસંત પંચમી પૂર્વે એમ.એસ. યુનિવર્સિટી દ્વારા આયોજન કરાયું

  • ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સયાજી લોક કલા ઉત્સવ

  • લોકકલા અને પરંપરાઓને જીવંત રાખવાની એક અનોખી ગાથા

  • લોકગીતોલોકનૃત્ય સહિત પરંપરાગત નાટ્યપ્રસ્તુતિનો સમાવેશ

  • વસંતના પવિત્ર આગમનને સંગીતનૃત્યનાટ્યએ ભવ્યતા અર્પી

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પવિત્ર વસંત પંચમીના પવિત્ર આગમન પૂર્વે સયાજી લોક કલા ઉત્સવ-2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

વસંતની મસ્તીભરી પવનની લહેરેગૂંજી ઉઠેલા સૂર તાલેનૃત્યની થનઘાટ અને સુગંધિત ફૂલોની મોહક મહેક વચ્ચે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સંસ્થાના કોન્સર્ટ હોલ ખાતે સયાજી લોક કલા ઉત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીનો પવિત્ર દિવસ હોવાથી લોકકલા સંગીતનૃત્ય અને નાટ્યના વિવિધ રંગો એકઠા થઈ ભાવભીની ઝલક પ્રસરાવી હતી.

આ પવિત્ર પ્રસંગે ભારત અને વિશ્વની વિવિધ લોકસંસ્કૃતિઓના શૈલીલક્ષી પ્રદર્શન થકી સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતાની શ્રોતાઓને અનુભૂતિ થઈ હતીજ્યાં લોકગીતલોકનૃત્ય અને નાટ્યકલાના પ્રભાવી રજૂઆત દ્વારા સંગીતમય વાતાવરણનું નિર્માણ થયું હતું.

જેમાં ઉત્તર-પૂર્વીય ભારતના લોકગીતોબંગાળી લોકગીતોગુજરાતી લોકગીતોરાજસ્થાની લોકગીતો તેમજ લોકનૃત્ય પ્રસ્તુતિમાં કથારકગોયમકચ્છી રાસબાંગ્લાદેશી વિલેજ ફોક ડાન્સજોગવાસેગા ડાન્સ સહિત નાટ્યપ્રસ્તુતિમાં ગુજરાતની પરંપરાગત નાટ્યકલા ભવાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ મહોત્સવે સંસ્કૃતિના રંગોથી સરોબર થઈ વસંતના પવિત્ર આગમનને સંગીતનૃત્ય અને નાટ્ય દ્વારા ભવ્યતા અર્પી સયાજી લોક કલા ઉત્સવ-2025એ લોકકલા અને પરંપરાઓને જીવંત રાખવાની એક અનોખી ગાથા રચી હતી.

આ આયોજકને સફળ બનાવવા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિન પ્રો. ગૌરાંગ ભાવસારસંયોજક ડૉ. નિતિન પરમારસહ-સંયોજક જયદીપ લકુમસંકલનકર્તા જનક જસકિયાસહ-સંકલનકર્તા હેતલ આર્યાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.