Connect Gujarat
વડોદરા 

વડોદરા : હવે, કેવી રીતે ઘટશે પ્રદૂષણ..?, મનપાની ઇ-રિક્ષાઓ જ ખાઈ રહી છે ધૂળ...!

મહાનગરપાલિકા દ્વારા 40 ઇ-રિક્ષાની કરાય હતી ખરીદી, 20 ઇ-રિક્ષાઓ કાલુપુરા સ્ટોર ખાતે ધૂળ ખાતી નજરે પડી

વડોદરા : હવે, કેવી રીતે ઘટશે પ્રદૂષણ..?, મનપાની ઇ-રિક્ષાઓ જ ખાઈ રહી છે ધૂળ...!
X

વડોદરા શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકા દ્વારા 40 ઇ-રિક્ષાઓની ખરીદી કરવામાં આવી હતી. જેમાંથી 20 જેટલી ઇ-રિક્ષાઓ કાલુપુરા સ્ટોર ખાતે ધૂળ ખાતી પડેલી નજરે પડતાં તંત્રની બેદરકારી સપાટી પર આવી છે.

વડોદરા શહેરમાં ગો ગ્રીનના કોન્સેપ્ટ હેઠળ અને પ્રદૂષણ ઘટાડવા માટે વર્ષ 2017-18માં મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે 40 ઇ-રિક્ષા ખરીદી કરવામાં આવી હતી. એક તરફ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે. તો પાલિકા દ્વારા મોટા ઉપાડે ખરીદાયેલી આ રીક્ષા માત્ર 3થી 4 વર્ષમાં ભંગાર હાલતમાં આવી ગઈ છે, માત્ર 4 વર્ષમાં જ અડધોઅડધ રિક્ષા કાલુપુરા સ્થિત પાલિકાના સ્ટોર ખાતે ધૂળ ખાતી ભંગાર હાલતમાં જોવા મળતાં તંત્ર સામે ભારે રોષ પ્રવર્ત્યો છે. આ અંગે પાલિકાના સ્થાઈ સમિતિના ચેરમેનને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, નવી ટેક્નોલોજી આવવાના કારણે આ ઇ-રિક્ષાઓનું મેન્ટેનન્સ મોંઘું પડી રહ્યું છે.

વડોદરા શહેરમાં ઇ-રિક્ષાનો ઉપયોગ પ્રદૂષણ અને ખર્ચની દૃષ્ટિએ ફાયદાકારક નીવડી શકે તેમ છે. જોકે, પાલિકાની બેદરકારીના કારણે પાલિકા 40 પૈકીની 20 જેટલી ઇ-રિક્ષાઓ ભંગાર બની છે. આમ પણ વડોદરા મહાનગરપાલિકા પાસે પુરતું ભંડોળ નથી. જેથી નાણાકીય ભંડોળને પહોચી વળવા માટે બોંડ બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારે હવે પાલિકા જ આ પ્રકારે નાણાંનો વેડફાટ કરે તે કેટલા અંશે વ્યાજબી છે, હાલ 20 ઇ-રીક્ષા જાળવણીના આભવે ભંગાર છે. તો બાકીની ક્યાં ગઈ તે પણ એક સવાલ છે.

Next Story