વડોદરા : NEET-NETની પરીક્ષામાં ગેર’રીતીને લઇને NSUIનું વિરોધ પ્રદર્શન

વડોદરાની કોમર્સ ફેકલ્ટી બહાર NSUIએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઈ સયાજીગંજ પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

author-image
By Connect Gujarat
New Update

NEET અને NETની પરીક્ષામાં ગેરરીતીને લઇને CBI તપાસની માંગ સાથે વડોદરાની કોમર્સ ફેકલ્ટી બહાર NSUIએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઈ સયાજીગંજ પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

દેશભરમાં NEET અને NETની પરીક્ષામાં થયેલી ગેરરીતીને લઇને વિરોધ થઈ રહ્યો છેત્યારે વડોદરા શહેરની કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે NSUIના કાર્યકરોએ એકત્ર થઈ NEET અને NETની પરીક્ષામાં થયેલી ગેરરીતીને લઇને ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા. ભાજપ હાય હાય...” અને મોદી હાય હાય...ના નારા લગાવી NSUIના કાર્યકરોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો. આ સાથે જ NSUIના કાર્યકરો બસ પર ચઢ્યા તો કેટલાક કાર્યકરો રોડ પર સૂઇ ગયા હતા.

જેના પગલે મેઇન રોડ પર વાહન વ્યવહાર થંભી ગયો હતો. સયાજીગંજ પોલીસે કાર્યકરોને પકડવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. જોકેકાર્યકરોએ એકબીજાને પકડીને સાંકળ બનાવી દીધી હતી. જેથી પોલીસને પરસેવો પડી ગયો હતો. ભારે જહેમત બાદ પોલીસે કાર્યકરોને છૂટ્ટા પાડ્યા હતાઅને ટીંગાટોળી કરીને 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. આ મામલે વડોદરા NSUIના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, NEET અને NETની પરીક્ષામાં ધાંધિયા થયા છેઅને પેપર લીક થયું છે. પહેલા ગુજરાત સરકાર આમાં નિષ્ફળ હતી અને હવે કેન્દ્ર સરકાર પણ આમાં નિષ્ફળ રહી છે. 30 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખોરવાયું છે. જેથી આજે અમે ચક્કાજામ કરીને NSUIની માંગ કરી છે કેફરીથી પરીક્ષા થવી જોઇએ અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી NSUI દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.