વડોદરા: મહાનગરપાલિકાના વોર્ડ 14માં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરતા મેયર સહિતના પદાધિકારીઓ

ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 14માં આવેલ લહેરીપુરા ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

New Update

વડોદરામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હાથ ધરાઈ

મનપાના વોર્ડ નંબર 14માં યોજાઈ સફાઈ ઝુંબેશ 

મેયર દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન 

સરકારના મુખ્ય દંડક પણ રહ્યા ઉપસ્થિત

નાગરિકોને આ ઝુંબેશમાં જોડાવા કરવામાં આવ્યું આહવાન 

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના મેયર પિન્કી સોનીના આગેવાનીમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 14માં આવેલ લહેરીપુરા ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જેમાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી સ્વચ્છતા પખવાડિયાનો આરંભ કરવામાં આવ્યો હતો.
ત્યારે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યા હતા.જેને અનુલક્ષીને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 14માં લેરીપુરા ખાતે સફાઈ ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ સફાઈ ઝુંબેશમાં 11,000 થી વધુ લોકો જોડાયા છે અને વડોદરાને સુંદર બનાવવાની પહેલની હાકલ શરૂ કરવામાં આવી છે.
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.