વડોદરા : પોતાની સ્વરક્ષા માટે તલવાર સ્વરૂપે વિજયાદશમી નિમિત્તે મહિલાઓને દુર્ગા શસ્ત્ર અર્પણ કરાયા...

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે બહેન ભાઈને અને દીકરી પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો......

New Update

સયાજીગંજ વિસ્તારના શ્રી રામ મંદિરે આયોજન

દુર્ગા શસ્ત્ર અર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું

બહેન ભાઈનેદીકરીએ પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કર્યું

ગૌગંગાગાયત્રી શીર્ષક હેઠળ દુર્ગા શસ્ત્ર અર્પણ

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા

શક્તિ નમઃ સંસ્થા દ્વારા ગૌગંગાગાયત્રી શીર્ષક હેઠળ દશેરાના પાવન અવસરે વડોદરાના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીની ઉપસ્થિતિમાં બહેન ભાઈને અને દીકરીએ પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યમાં માતાબહેનોમહિલાઓ સાથે બનતા અનિચ્છનીય બનાવને ધ્યાને લઈને શક્તિ નમઃ સંસ્થા દ્વારા વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે બહેન ભાઈને અને દીકરી પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માતાબહેનોમહિલાઓ સાથે દુષ્કર્મ જેવા ગંભીર બનાવોને અટકાવવા તેમજ મહિલાઓને સશક્ત બનાવવા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા બહેનો વિશેષ ઉપસ્થિત રહી હતી. પોતાની સ્વરક્ષા માટે તલવાર સ્વરૂપે દુર્ગા શસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. માતા બહેનોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છેજ્યારે પોલીસ પ્રશાસન દ્વારા પણ ઉત્તમ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.

પણ મહિલા બહેનો સાથે કોઈ અનિચ્છનીય બનાવો બને ત્યારે સેલ્ફ ડિફેન્સના ભાગરૂપે તેઓને શસ્ત્ર તાલીમ પણ અગત્યની સાબિત થશે. તેવામાં મહિલાઓને સશક્ત બનાવવાના હેતુ સાથે દુર્ગા શસ્ત્રનું પૂજન અર્ચન કર્યા બાદ બહેન ભાઈને અને દીકરીએ પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય આયોજક શોભના રાવલસાંસદ ડો. હેમાંગ જોષીગાર્ગી પંડિતભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડો. વિજય શાહનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશદ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.