વડોદરા: 31stની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં, બ્રેઇથ અને ડ્રગ્સ એનેલાઇઝરનો કરશે ઉપયોગ

વડોદરામાં 31st ની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે,વાહન ચેકીંગ સહિત નશેબાજો સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી પોલીસે કરી લીધી છે.

New Update
  • 31 ડિસેમ્બરને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

  • પોલીસ વાહન અને આધુનિક ઉપકરણનું નિરીક્ષણ

  • પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવી માહિતી

  • 250 થી વધારે બ્રેઇથ એનેલાઇઝરનોકરાશે ઉપયોગ

  • NDPSના પણ સેમ્પલ લેવામાં આવશે

વડોદરામાં 31st ની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે,વાહન ચેકીંગ સહિત નશેબાજો સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી પોલીસે કરી લીધી છે. જે અંગેની માહિતી આપવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

વડોદરા શહેરમાં 31stની ઉજવણી પહેલા પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે,જે અંગેની માહિતી આપવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે,વડોદરા શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બુટલેગર અને ગેમ્બલરને ટાર્ગેટ કરીને કેસો કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.જ્યારે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને ઓવરલોડિંગ સહિતના જાહેરનામા ભંગના ગુનાઓ આચરનાર સામે પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંતSHE ટીમના વાહનોપીસીઆર અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સહિતના વાહનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.શહેરમાં 250 જેટલા બ્રેઇથ એનેલાઇઝર ટુલ છેજેની મદદથી પોલીસ ચેકીંગ કરશે.તેમજNDPS ડિટેક્શન કીટના માધ્યમથી ડ્રગ્સનું સેવન કરીને નીકળતા લોકોનું સ્થળ ઉપર જ ચેકિંગ કરવામાં આવશે.

પોલીસનીSHE  ટીમ યુનિફોર્મમાં અને સિવિલ ડ્રેસમાં જરૂરિયાત પ્રમાણે મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષા માટે હાજર રહેશે. નવા વર્ષની ઉજવણી દરમિયાન ડીસીબીપીસીબીએસઓજીતમામ પોલીસ સ્ટેશનની ટીમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે સતત હાજર રહેશે. આ ઉપરાંત અવાવરૂ જગ્યાએ પ્રમાણે પોલીસની હાજરી રહેશે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.