વડોદરા : મંદિરો દૂર કરવાની નોટિસને પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન

વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે.

New Update

વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શંખનાદ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસ ને લઈ હિન્દુ સંગઠનોની લાગણી દુભાવતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મંદિરોને આપેલ નોટિસ સામે અર્ધ નગ્ન થઈ શંખનાદ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેમજ ગજની અને ઔરંગઝેબ સાથે સરકારને સરખાવી ગંભીર આક્ષેપ પણ કર્યા હતા.આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ વડોદરા મહાનગરના મહામંત્રી ઉમેશ જોશીએ જણાવ્યું હતું કે,સમગ્ર ગુજરાત જેમાં ભાવનગર,અમદાવાદ,સુરત,ભરૂચ અને વડોદરામાં પણ હજારો મંદિરોને નોટિસ આપવામાં આવી છે.સમગ્ર ગુજરાતમાં 25 હજાર મંદિરોને નોટિસ આપીને એને તોડવાના કામ પ્રશાસન કરી રહ્યું છે. આખા ગુજરાતમાં જો આ રીતે કામ ચાલી રહ્યું હોય તો ગજની અને ઔરંગઝેબ જે રીતે મંદિરો તોડવાનું કામ કરતા હતા.ત્યારે અત્યારનું પ્રશાસન પણ એજ કામ કરી રહી છે. મંદિરો તોડી ધર્મનો નાશ કરવો તે રસ્તે સરકાર નીકળી પડી છે. ત્યારેઆંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ - બજરંગદળ દ્વારા માંડવી ખાતે આજે ગુરુપૂર્ણિમાના દિવસે બેનરો પોસ્ટરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.