વડોદરા : મંદિરો દૂર કરવાની નોટિસને પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન

વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે.

New Update

વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શંખનાદ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસ ને લઈ હિન્દુ સંગઠનોની લાગણી દુભાવતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મંદિરોને આપેલ નોટિસ સામે અર્ધ નગ્ન થઈ શંખનાદ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેમજ ગજની અને ઔરંગઝેબ સાથે સરકારને સરખાવી ગંભીર આક્ષેપ પણ કર્યા હતા.આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ વડોદરા મહાનગરના મહામંત્રી ઉમેશ જોશીએ જણાવ્યું હતું કે,સમગ્ર ગુજરાત જેમાં ભાવનગર,અમદાવાદ,સુરત,ભરૂચ અને વડોદરામાં પણ હજારો મંદિરોને નોટિસ આપવામાં આવી છે.સમગ્ર ગુજરાતમાં 25 હજાર મંદિરોને નોટિસ આપીને એને તોડવાના કામ પ્રશાસન કરી રહ્યું છે. આખા ગુજરાતમાં જો આ રીતે કામ ચાલી રહ્યું હોય તો ગજની અને ઔરંગઝેબ જે રીતે મંદિરો તોડવાનું કામ કરતા હતા.ત્યારે અત્યારનું પ્રશાસન પણ એજ કામ કરી રહી છે. મંદિરો તોડી ધર્મનો નાશ કરવો તે રસ્તે સરકાર નીકળી પડી છે. ત્યારેઆંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ - બજરંગદળ દ્વારા માંડવી ખાતે આજે ગુરુપૂર્ણિમાના દિવસે બેનરો પોસ્ટરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

Latest Stories