વડોદરા: આજવા સરોવર માંથી પુનઃ પાણી છોડવામાં આવતા શહેરવાસીઓની ચિંતામાં વધારો

વડોદરામાં પૂરની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે,ત્યારે આજવા સરોવર માંથી ફરીથી પાણી છોડવામાં આવી રહ્યું છે,જેના કારણે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે,

New Update

વડોદરામાં પૂરની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે,ત્યારે આજવા સરોવર માંથી ફરીથી પાણી છોડવામાં આવી રહ્યું છે,જેના કારણે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે,જોકે વહીવટી તંત્રે લોકોને ચિંતા મુક્ત રહેવા માટે જણાવ્યું છે.

વડોદરા શહેર જળતળબોર બન્યા બાદ હવે પુનઃ જનજીવન ધબકતું થયું છે,અને પૂરગ્રસ્ત લોકો ફરીથી પોતાની રાબેતા મુજબ જિંદગીમાં જોતરાય રહ્યા છે,પરંતુ હજી પૂરથી સર્જાયેલી તારાજીને સતત સ્મરણ કરીને અજાણ્યા ભયનો અહેસાસ લોકો કરી રહ્યા છે.માંડમાંડ પૂરપ્રકોપ માંથી ઉભા થયેલા શહેરીજનો માટે ફરીથી એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે,જેમાં આજવા સરોવરની જળસપાટી વધવાને કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે.આ અંગે જાણવા મળ્યા મુજબ આજવા સરોવરની જળસપાટી 213.65 ફૂટે પહોંચી હતી,આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે,અને પાણી છોડવામાં આવી રહ્યું છે, વિશ્વામિત્રી નદીની જળસપાટી 12.65 ફૂટ નોંધાઈ હતી,જ્યારે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં બે કે ત્રણ ફૂટનો વધારો નોંધાઈ શકે છે,જોકે આ સપાટી ભયજનક સપાટી કરતા પાણીનું લેવલ નીચે રહેશે તેથી શહેરીજનોએ ચિંતા મુક્ત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.