વડોદરા: આજવા સરોવર માંથી પુનઃ પાણી છોડવામાં આવતા શહેરવાસીઓની ચિંતામાં વધારો

વડોદરામાં પૂરની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે,ત્યારે આજવા સરોવર માંથી ફરીથી પાણી છોડવામાં આવી રહ્યું છે,જેના કારણે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે,

New Update

વડોદરામાં પૂરની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે,ત્યારે આજવા સરોવર માંથી ફરીથી પાણી છોડવામાં આવી રહ્યું છે,જેના કારણે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે,જોકે વહીવટી તંત્રે લોકોને ચિંતા મુક્ત રહેવા માટે જણાવ્યું છે.

વડોદરા શહેર જળતળબોર બન્યા બાદ હવે પુનઃ જનજીવન ધબકતું થયું છે,અને પૂરગ્રસ્ત લોકો ફરીથી પોતાની રાબેતા મુજબ જિંદગીમાં જોતરાય રહ્યા છે,પરંતુ હજી પૂરથી સર્જાયેલી તારાજીને સતત સ્મરણ કરીને અજાણ્યા ભયનો અહેસાસ લોકો કરી રહ્યા છે.માંડમાંડ પૂરપ્રકોપ માંથી ઉભા થયેલા શહેરીજનો માટે ફરીથી એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે,જેમાં આજવા સરોવરની જળસપાટી વધવાને કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે.આ અંગે જાણવા મળ્યા મુજબ આજવા સરોવરની જળસપાટી 213.65 ફૂટે પહોંચી હતી,આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે,અને પાણી છોડવામાં આવી રહ્યું છે, વિશ્વામિત્રી નદીની જળસપાટી 12.65 ફૂટ નોંધાઈ હતી,જ્યારે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં બે કે ત્રણ ફૂટનો વધારો નોંધાઈ શકે છે,જોકે આ સપાટી ભયજનક સપાટી કરતા પાણીનું લેવલ નીચે રહેશે તેથી શહેરીજનોએ ચિંતા મુક્ત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.