વડોદરા : જાહેર બાંધકામોની ગુણવત્તાના અનુસરણ માટે GERI દ્વારા સંસોધન, 6.14 લાખ નમૂના ચકાસી બહેતર ગુણવત્તા સુનિશ્ચિત કરી

જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય અને નિયત માપદંડોનું અનુસરણ થાય તે માટે વડોદરા સ્થિત ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે.

New Update
  • રાજ્યમાં રોડબ્રિજકેનાલડેમ જેવા સેંકડો જાહેર બાંધકામ

  • જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય તે બન્યું છે અનિવાર્ય

  • ગુણવત્તા અને નિયત માપદંડોનું અનુસરણ પર જરૂરી બન્યું

  • ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય

  • 6.14 લાખ નમૂનાઓ ચકાસી બહેતર ગુણવત્તા સુનિશ્ચિત કરી

ગુજરાત રાજ્યમાં રોડ-રસ્તાબ્રિજકેનાલડેમ જેવા સેંકડો જાહેર બાંધકામ થાય છે. આ જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય અને નિયત માપદંડોનું અનુસરણ થાય તે માટે વડોદરા સ્થિત ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં જાહેર બાંધકામોમાં ગુણવત્તા-જાળવણી એ મોટો પડકાર છે. આ પડકાર ઝીલે છે વડોદરા સ્થિત ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ કે જેગેરી (GERI)ના ટૂંકા નામે ઓળખાતી આ સંસ્થા જાહેર બાંધકામોના પરિક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ગુજરાતમાં માળખાગત સુવિધાઓ એટલે કેપબ્લીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી બક્ષવાનું કામ આ સંસ્થા કરે છે. ગેરી (GERI)ના કારણે રાજ્યમાં સાર્વજનિક અને ખાનગી એમ બંને પ્રકારની નિર્માણ પરિયોજનાઓમાં ચોક્કસ માપદંડ જાળવવાનું આસાન બને છે.

જોકેછેલ્લા 4 વર્ષમાં આ સંસ્થાએ 6 લાખ 14 હજાર જેટલા નમૂનાઓની ચકાસણી કરી બહેતર ગુણવત્તા સુનિશ્ચિત કર્યા છે. એટલું જ નહીંતેના કારણે રાજ્ય સરકારને રૂ. 184 કરોડની આવક પણ થઈ છે. ગેરીની આધુનિક પ્રયોગ શાળાઓમાં ગોત્રીની પ્રયોગ શાળાનો પણ સમાવેશ થાય છે.

અહિં અનેક પ્રકારના પરિક્ષણ માટેની સુવિધાઓ ઉપ્લબ્ધ છે. રસપ્રદ બાબત એ છે કેરાજ્યમાં નિર્માણ પામતા ડેમ સંદર્ભે પ્રથમ ગેરી પરિસરમાં સેમ્પલ મોડલ તૈયાર થાય છે. સાઈટ પર ડેમનું નિર્માણ કરવામાં આવે તે પહેલા અનેક પ્રકારના પરિક્ષણ અહીં થાય છે.

ગુજરાતમાં માળખાગત સુવિધાઓના વિકાસના પગલે ગેરીનું મહત્વ વધી રહ્યું છે. આ સંસ્થામાં વર્ષ 2021-22માં 1 લાખ નમૂનાઓ તપાસવામાં આવ્યા છે. જેના પગલે સંસ્થાને 30 કરોડ રૂપિયાની આવક પણ થઈ છે. ગેરીમાં છેલ્લા 3 વર્ષમાં વ્યાપક સંખ્યામાં નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં માટી પરીક્ષણકોંક્રિટ ડિઝાઈન અને ડામરનો સમાવેશ થાય છે.

જાન્યુઆરી2024-25માં પરિક્ષણ માટેના નમૂનાઓનો આંક 1 લાખ 90 હજારે પહોંચ્યો છે. જેથી આવકનો આંક પણ રૂ. 57 કરોડે પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેગુજરાતમાં પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસી રહ્યું છેત્યારે આ ઈન્સ્ટીટ્યૂટની ભૂમિકા વધુ મહત્વની બની છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.