વડોદરા : ગાંધીજીના નિર્વાણ દિને રેંટિયા કાંતણ સ્પર્ધાનું આયોજન કરાયું

નગર પ્રા.શિક્ષણ સમિતિ તરફથી કરાયું આયોજન,120 શાળાઓના આચાર્ય અને શિક્ષકોએ ભાગ લીધો, વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં

New Update
વડોદરા : ગાંધીજીના નિર્વાણ દિને રેંટિયા કાંતણ સ્પર્ધાનું આયોજન કરાયું

મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને અમદાવાદમાં મહાત્મા ગાંધીજીના ભીતચિત્રનું અનાવરણ કરાયું તો બીજી તરફ વડોદરામાં રેટિયા કાંતણ સ્પર્ધા યોજવામાં આવી હતી.....

મહાત્મા ગાંધીજીને રેંટીયો પ્રિય હતો તે વાતથી કોઇ અજાણ નથી. મહાત્મા ગાંધીજી જાતે જ રેંટીયાથી રૂને કાતતા હતાં. ગાંધી નિર્વાણ દિનના અવસરે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રેંટીયા કાંતણ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. કાતણ સ્પર્ધામાં 120 શાળાના શિક્ષકો અને આચાર્યએ ભાગ લઈ રેંટીયો ચલાવ્યો હતો. વિજેતાઓને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.