વડોદરા:રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે વિઘ્નહર્તા દેવનું  લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપન કરાયુ

વડોદરા શહેરમાં રાજવી પરિવાર દ્વારા ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવી હતી. 

New Update

વડોદરા શહેરમાં રાજવી પરિવાર દ્વારા ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવી હતી. 

વડોદરા સહિત દેશભરમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસમાં બીરાજમાન શ્રીજીની પ્રતિમા વર્ષ 1939માં ચવ્હાણ પરિવાર પાસે બનાવવામાં આવી હતી. ત્રણ પેઢીથી પેલેસના આ ગણપતિની પ્રતિમાને બનાવનાર ચવ્હાણ પરિવાર આજે પણ તેમની પહેલી પ્રતિમાના સંસ્મરણો યાદ કરે છે. ગણેશજીની મૂર્તિ બનાવવા માટે ચવ્હાણ પરિવારને ત્રણ મહિના પહેલા જ તૈયારીઓ કરવા માટે સૂચના અપાય છે. અને ખાસ માટી માંથી ગણેશજીની મૂર્તિ રાજવી પરિવાર માટે તૈયાર કરવામાં આવે છે. શ્રીજીની પ્રતિમાનું વજન પણ 90 કિલો જ રાખવામાં આવ્યુ છે. અને શ્રીજીની ઊંચાઈ પણ રાજવી પરિવાર દ્વારા વર્ષોથી નક્કી કરેલ 36 ઇંચની રાખવામાં આવી છે.

આજે સંગીતની સુરાવલી સાથે શ્રીજીની સવારી નીકળી હતી. પારંપરિક વાદ્યોના સુરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી નીકળી હતી. શ્રીજીની સવારી દરમિયાન આતશબાજી કરવામાં આવી હતી. આ દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. શ્રીજીની પાલખીયાત્રામાં પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી. પાલખીમાં બિરાજમાન શ્રીજીનું રાજમહેલમાં આગમન થયુ હતુ. દરબાર હોલ ખાતે રાજપુરોહિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીજીનું પૂજન અર્ચન કરીને સ્થાપના કરવામાં આવી હતી.
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.