વડોદરા: સરકારી ઇમારતોનો બાકી પડતો રૂ.30 કરોડનો વેરો વસૂલતા અધિકારીઓના હાથ ધૃજે છે !

વડોદરા મહાનગરપાલિકાની બેધારી નીતિના પાપે સરકારી ઇમારતોના બાકી પડતા વેરાના રૂ.૩૦ કરોડ અને વીજકંપનીના રૂ. ૨.૪૬ કરોડ વર્ષોથી ભરાતા નથી

New Update
વડોદરા: સરકારી ઇમારતોનો બાકી પડતો રૂ.30 કરોડનો વેરો વસૂલતા અધિકારીઓના હાથ ધૃજે છે !

વડોદરા મહાનગરપાલિકાની બેધારી નીતિના પાપે સરકારી ઇમારતોના બાકી પડતા વેરાના રૂ.૩૦ કરોડ અને વીજકંપનીના રૂ. ૨.૪૬ કરોડ વર્ષોથી ભરાતા નથીત્યારે પ્રજા પર કાયદાનો દંડો વિઝતા શાશકો અને અધિકારીઓના હાથ સરકારી ઇમારતોનો વેરો વસુલ કરતા ધ્રૂજે છે તેવા સવાલ ઉભા થયા છે.

વડોદરા મહાનગરપાલિકાનો ખાડે ગયેલો વહીવટ પાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યો છે. જો તમારા ઘર કે દુકાનનો મિલકત વેરો બાકી હોય તો પાલિકાના કહેવાતા જાંબાઝ અધિકારીઓ ઢોલ નગારા લઈ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વેરો વસુલ કરવા અધીરા થઈ જાય છે. પરંતુ આ જ આધિકારીઓને જ્યારે સરકારી ઇમારતોના વેરાની વસુલાત કરવાની હોય તો પાણીમાં બેસી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શહેરમાં આવેલી સરકારી ઇમારતો જેવી કે કુબેર ભવન, રેલવે, નર્મદા ભવન, પોલીસ ભવન સહિતની અન્ય સરકારી ઇમારતોના વેરા પેટે રૂ. ૩૦ કરોડ વર્ષોથી બાકી પડે છે. પ્રજાના વેરાની વસુલાત માટે બેબાકળા થતા અધિકારીઓ સરકારી ઇમારતોના વેરાની વસુલાત માટે માત્ર પત્ર લખવાની ઔપચારિકતા કરી સંતોષ માણે છે. અહીં નવાઈ ની વાતએ છે કે પ્રજાને સમયસર વેરો ભરવાની સલાહ આપતાં શાશકો તંત્રનો બચાવ કરે છે.

સરકારી ઇમારતોના ટેક્ષના રૂ.૩૦ કરોડ અને વીજકંપની ના રૂ.૨.૪૬ કરોડની રકમ વર્ષોથી વસુલ થઈ નથી તો આ માટે જવાબદાર કોણ? તો બીજીતરફ વીજકંપની તરફથી પાલિકાને વેરો ભરવાનો થતો નથી એવો જવાબ આપવામાં આવ્યો હતો. આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા અમિત ઘોટિકરે મહાનગર પાલિકાના સત્તાધીશોની નીતિનો વિરોધ કરી તાત્કાલિક ધોરણે સરકારી ઇમારતોના વેરાની કડક વસુલાત કરવાનો પક્ષ મુક્યો હતો.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.