વડોદરા : સયાજી હોસ્પિટલની પી.જી. હોસ્ટેલમાં મેડિકલ સ્ટુડન્ટનો આપઘાત

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલ પી.જી.હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

New Update

સયાજી હોસ્પિટલની પી.જી.હોસ્ટેલમાં આપઘાતની ઘટના

વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી

વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો

વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પરિવારમાં ભારે આક્રંદ

આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે કવાયત આદરી

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલ પી.જી.હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારમૂળ ચેન્નાઈ અને હાલ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહી સયાજી હોસ્પિટલમાં એનેસ્થેસિયાના એમ.ડી. 28 વર્ષીય વિદ્યાર્થી ડો. સહાય ઝરીનનો હોસ્ટેલના રૂમમાંથી આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે પી.જી.હોસ્ટેલ સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ પરિવારના સભ્યો તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતોત્યારબાદ પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત હાથ ધરી હતી. 

ACP અશોક રાઠવાએ જણાવ્યુ હતું કેઆ તપાસમાં પોલીસની ટીમ આવી ત્યારે દરવાજો બંધ હતો. ત્યારબાદ તેના મિત્ર દ્વારા દરવાજો તોડવામાં આવ્યા હતો. આ વિદ્યાર્થી ગોત્રી વિસ્તારમાં તેની માતા સાથે રહે છેઅને સવારે 7 વાગ્યાની આસપાસ તે હોસ્ટેલમાં આવ્યો હતોઅને ત્યારબાદ આ પગલું ભર્યું છે. વિદ્યાર્થી પાસેથી કોઇ સ્યુસાઇડ નોટ મળી આવી નથી. આ આપઘાત શા માટે કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.