વડોદરા : MS યુનિ.ની કોમર્સ ફેકલ્ટી-જનરલ કેટેગરીમાં 75%થી નીચે ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા વિરોધ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી.

New Update

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળતા ચાલી રહેલું આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. તેની સામે ઇ.ડબલ્યુ.એસ સહિતની અન્ય કેટેગરીમાં 35 ટકાથી 40% ધરાવતા વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળ્યો છે. જેને કારણે ગતરોજથી NSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગતરોજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં ગતરોજ આંદોલનના ભાગરૂપે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કરી ટપલીદાવ કર્યો હતો. જેમાં અમર વાઘેલા તથા નિખિલ સોલંકી સહિત કુલ 4 વિદ્યાર્થી નેતાઓની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી. જેઓને કોર્ટમાં હાજર કરાયા બાદ જામીન મંજૂર કરાયા હતા. જોકેઆંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે. જેમાં NSUI, AGSU તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો યોજી ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. આ આંદોલનની યુનિવર્સિટી સત્તાધીશોને સહેજ પણ પડી ન હોય તે રીતે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆત સાંભળવા બહાર આવ્યા ન હતાઅને સ્થાનિક પોલીસને આગળ કરી હતી. આ સંદર્ભે પણ વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી સત્તાધીશોની આકરી ઝાટકણી કરી હતી. વિદ્યાર્થી આગેવાનોએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કેયુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના ભાઈ PMO ઓફિસમાં ફરજ બજાવતા હોવાથી તેઓની સત્તાનો દૂર ઉપયોગ કરી રહ્યા છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.