વડોદરા : રોગચાળો ફેલાતા પાલિકાની ખોરાક શાખા જાગી, પાણીપુરીની 54 લારીઓ બંધ કરાવાઈ

વડોદરામાં રોગચાળાએ પોતાના ડગ માંડ્યા છે જેને લઈ પાલિકાની ખોરક શાખા ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.

New Update

વડોદરામાં રોગચાળાએ પોતાના ડગ માંડ્યા છે જેને લઈ પાલિકાની ખોરક શાખા ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, તેમાં પણ બજારમાં મળતી ખાણીપીણીની વસ્તુઓ ખાઈને લોકો બીમાર પડી રહ્યા છે. તેવામાં વડોદરામાં કોલેરા , ઝાડા ઉલ્ટીનો વાવર ફેલાયો છે. જેને લઈ પાલિકાની ખોરક શાખા ટીમો દોડતી થઈ ગઈ છે. ગત ગુરુવારે સાંજે મોડા મોડા જાગેલી ખોરાક શાખાએ ડભોઈ રોડ ગણેશ નગર અને ખોડિયારનગરમાં 54 લારી પર ચેકિંગ કર્યું હતું.તમામ લારી બંધ કરાવી 220 કિલો બટાકા સહિતની ચીજો અને 620 લિટર પાણીનો નાશ કર્યો હતો.સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલી આરોગ્યની બેઠકમાં સૂચનો કરાયાં હતાં ત્યારબાદ સાંજે ખોરાક શાખાની ટીમોએ કાર્યવાહી કરી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.