વડોદરા : રોગચાળો ફેલાતા પાલિકાની ખોરાક શાખા જાગી, પાણીપુરીની 54 લારીઓ બંધ કરાવાઈ

વડોદરામાં રોગચાળાએ પોતાના ડગ માંડ્યા છે જેને લઈ પાલિકાની ખોરક શાખા ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.

New Update

વડોદરામાં રોગચાળાએ પોતાના ડગ માંડ્યા છે જેને લઈ પાલિકાની ખોરક શાખા ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, તેમાં પણ બજારમાં મળતી ખાણીપીણીની વસ્તુઓ ખાઈને લોકો બીમાર પડી રહ્યા છે. તેવામાં વડોદરામાં કોલેરા , ઝાડા ઉલ્ટીનો વાવર ફેલાયો છે. જેને લઈ પાલિકાની ખોરક શાખા ટીમો દોડતી થઈ ગઈ છે. ગત ગુરુવારે સાંજે મોડા મોડા જાગેલી ખોરાક શાખાએ ડભોઈ રોડ ગણેશ નગર અને ખોડિયારનગરમાં 54 લારી પર ચેકિંગ કર્યું હતું.તમામ લારી બંધ કરાવી 220 કિલો બટાકા સહિતની ચીજો અને 620 લિટર પાણીનો નાશ કર્યો હતો.સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલી આરોગ્યની બેઠકમાં સૂચનો કરાયાં હતાં ત્યારબાદ સાંજે ખોરાક શાખાની ટીમોએ કાર્યવાહી કરી હતી.

Latest Stories