Connect Gujarat
વડોદરા 

વડોદરા : વડોદરામાં મંદિરે દર્શને આવેલાં વલસાડના બિલ્ડરનું મોત, જુઓ મોતનો LIVE વીડીયો

તમે પ્રભુમાં અતુટ શ્રધ્ધા ધરાવતાં હોવ અને મંદિરમાં દર્શન કરતી વેળા જ તમને મંદિરમાં જ મોત મળી જાય તો કેવું લાગે

X

તમે પ્રભુમાં અતુટ શ્રધ્ધા ધરાવતાં હોવ અને મંદિરમાં દર્શન કરતી વેળા જ તમને મંદિરમાં જ મોત મળી જાય તો કેવું લાગે, બસ આવું જ કઇક વલસાડના બિલ્ડર સાથે બન્યું છે. વડોદરાના સ્વામીનારાયણ મંદિરમાંથી મોતનો લાઇવ વિડીયો સામે આવ્યો છે.

વલસાડના બિલ્ડર શ્રીજી ભગવાનના પરમ ભકત હતાં અને તેઓ શ્રીજી મંદિરમાં જ શ્રીજી ચરણ થયાં છે..વલસાડના રહેવાસી અને જાણીતા બિલ્ડર જયંતિ ખાલપ સ્વામીનારાયણ ભગવાનમાં અતુટ શ્રધ્ધા ધરાવતાં હતાં. તેઓ વડોદરાના સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શન માટે આવ્યાં હતાં પણ આ સફર તેમના માટે અંતિમ સફર બની ગઇ હતી. જયંતિભાઇ મંદિરમાં પ્રવેશી પ્રથમ શિશ ઝુકાવે છે અને બાદમાં પ્રાર્થના કરે છે. અને અચાનક તેઓ ઢળીને નીચે પડી જાય છે. આ 41 સેકન્ડના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે. મંદિરમાં દર્શન કર્યા બાદ તેમને મંદિરમાં જ મોત મળી ગયું હતું.

Next Story