Connect Gujarat
વડોદરા 

વડોદરા : દેશનો પ્રથમ ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ બંધ થતાં પાલિકાની આવક બંધ થઈ,PM મોદીના પ્રોજેકટમાં VMCને નથી કોઈ રસ

એક સમયે ઇ-વેસ્ટ કલેક્શનમાં દેશને રાહ આપનાર વડોદરા કોર્પોરેશનનો ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણ પથારીએ પડ્યો છે.

X

પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણ પથારીએ પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજના શરૂ કરાયા બાદ એમાં તબક્કાવાર ઇ-વેસ્ટ કલેક્શનમાં ઘટાડો થઈ રહ્યો છે.

એક સમયે ઇ-વેસ્ટ કલેક્શનમાં દેશને રાહ આપનાર વડોદરા કોર્પોરેશનનો ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણ પથારીએ પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજના શરૂ કરાયા બાદ એમાં તબક્કાવાર ઇ-વેસ્ટ કલેક્શનમાં ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ- 2021માં કોર્પોરેશનને ઇ-વેસ્ટ કલેક્શન પેટે માત્ર રૂપિયા 30,700 મળ્યા હતા. ત્યાર બાદ એક પણ રૂપિયાની આવક થઇ નથી. જેમાં કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જેમ કે કોમ્પ્યુટર, મોબાઈલ, ટી.વી., સહિત વિવિધ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તો તેને જ્યાં ત્યાં રસ્તા પર કે જાહેર જગ્યાએ ફેંકવાના બદલે કોર્પોરેશનની નિયત કરેલી એજન્સીને આ કચરો સુપ્રત કરી શકાય છે. આ માટે કોર્પોરેશને ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો.કોર્પોરેશનના આઇ.ટી. વિભાગના મયંક ભટ્ટે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન અસરકારક કામગીરી થઇ નથી. પરંતુ, આગામી સમયે ઇ વેસ્ટ કલેકશન પ્રોજેક્ટ રી લોન્ચ કરવામાં આવશે. આગામી દિવસોમાં શરૂ થતી સ્કૂલોમાં ઇ વેસ્ટ માટે જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે ઇ વેસ્ટ પ્રોજેક્ટના બાળમરણ અંગે જણાવ્યું કે, હું અગાઉ સ્થાયી સમિતીના ચેરમેન પદે હતો. ત્યારે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ પ્રોજેક્ટ અંગે કોર્પોરેશન દ્વારા જરૂરી જે જાગૃતિ લાવવી જોઇએ તે લાવવામાં આવી ન હોવાથી પ્રોજેકટ બંધ હાલતમાં જોવા મળે છે.

હાઇટેક યુગમાં દિવસે ને દિવસે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની માંગ અને તેનો વપરાશ વધવાનો જ છે. પર્યાવરણ મંત્રાલયના આંકડા મુજબ, વર્ષ 2005માં દેશમાં કુલ 1.46 લાખ ટન ઈ-વેસ્ટ નીકળ્યું હતું. જે વર્ષ 2019માં વધીને પાંચ લાખ ટને પહોંચી ગયું હતું જ્યારે આ આંકડો વર્ષ 2012માં 8લાખ ટન પર હતો. વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે ઇ વેસ્ટ કલેકશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ પ્રોજેક્ટ માત્ર એવોર્ડ લેવા માટે જ કર્યો હોઇ, તેવું લાગી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી માર્કેટિંગ કરવામાં આવ્યું ન હોવાથી આ પ્રોજેક્ટનું બાળમરણ થઇ ગયું. આ ઉપરાંત પર્યાવરણ માટે પણ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે જાગૃતિ લાવવી જરૂરી છે.

Next Story