/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/07120158/Untitled.png)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજ વિશ્વ આરોગ્ય દિવસએ આપણા ગ્રહને સ્વસ્થ રાખવા માટે રાત-દિવસ મહેનત કરનારા બધા લોકો માટે આપણે તેની કદર કરવાનો દિવસ છે. તેમણે આરોગ્યસંભાળમાં સંશોધન અને નવીનતાને ટેકો આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પણ પુનરોચ્ચારિત કરી.
પીએમ મોદીએ ટ્વીટ કર્યું, 'વિશ્વ આરોગ્ય દિવસ એ બધા લોકોની પ્રશંસા કરવાનો દિવસ છે જે આપણા ગ્રહને સ્વસ્થ રાખવા માટે રાત-દિવસ મહેનત કરે છે. આરોગ્યસંભાળમાં સંશોધન અને નવીનતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાનો દિવસ પણ છે. તેમણે માસ્ક પહેરવા, નિયમિતપણે હાથ ધોવા અને અન્ય પ્રોટોકોલોનું પાલન કરવા સહિતની તમામ સંભવિત સાવચેતીઓ લેતા સમયે કોવિડ-19 સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી.
પીએમ નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું, 'વિશ્વ આરોગ્ય દિવસ પર આપણે કોવિડ-19 સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમાં માસ્ક પહેરવા, નિયમિતપણે હાથ ધોવા અને અન્ય પ્રોટોકોલનું પાલન કરવું શામેલ છે. ફિટ રહેવા માટે તમામ શક્ય પગલાં લો. '
પીએમ મોદીએ વધુમાં એમ કહ્યું કે લોકોને સારી અને સસ્તી આરોગ્ય સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા ભારત સરકાર આયુષ્માન ભારત અને વડા પ્રધાન જન ધન યોજના સહિત અનેક પગલાં લઈ રહી છે. કોવિડ-19 સામેની લડતને મજબૂત કરવા માટે ભારત વિશ્વની સૌથી મોટુ રસીકરણ અભિયાન પણ ચલાવી રહ્યું છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ એવા સમયે છે જ્યારે સમગ્ર વિશ્વના લોકો કોરોના વાયરસને નાબૂદ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
લોકોને જાગૃત કરવાના હેતુથી દર વર્ષે 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના દરેક વ્યક્તિને સારવારની સારી સુવિધાઓ આપવી, તેમના આરોગ્યમાં સુધારો કરવો, આરોગ્યનું સ્તર વધારવું અને રોગોથી વાકેફ કરીને આરોગ્યપ્રદ વાતાવરણ બનાવી સમાજને સ્વસ્થ રાખવાનો છે.