/connect-gujarat/media/post_banners/e4115d67738f09f6e5568352d06febb3c054314fa7219d251479885ce79aeccd.webp)
ભારતના પાડોશી દેશ પાકિસ્તાન થી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં એક બસમાં આગ લાગવાની ઘટના બની છે. જેેમા 17 જેટલા લોકો જીવતા સળગી ગયા હતા.પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બુધવારે એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં બસમાં સવાર 17 લોકોના મોત થયા છે.
આ ઘટના કરાચીથી 90 કિલોમીટર દૂર નૂરિયા બાદ શહેરમાં બની હતી. પાક અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે બુધવારે સાંજે નૂરિયાબાદ નજીક હાઇવે પર ખૈરપુર નાથન શાહ વિસ્તારમાં જતી બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. દ્રશ્યને આંખે જોનારા લોકોનું કહેવું છે કે, બસમાં આગ લાગતા અંદર બેઠેલા લોકોની ચીસો સંભળાવા લાગી હતી. દુર્ઘટના બાદ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. વળી, ઈજાગ્રસ્તોને જીવ બચાવવા માટે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે.આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા માં આઠ બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, ઇન્ટરસિટી બસ 50 થી વધુ પૂર પીડિતોને લઈ જઈ રહી હતી, જેઓ કરાચીમાં કામચલાઉ આશ્રય સ્થાનોમાં રહેતા હતા. આ તમામ લોકો પૂરગ્રસ્ત ખેરપુર નાથન શાહમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અધિકારીએ જણાવ્યું કે, નૂરિયાબાદની નજીક એમ-9 મોટરવે પર જમશોરો અને હૈદરાબાદની નજીક બસમાં અચાનક આગ લાગી હતી. હાલમાં, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પાકિસ્તાની પોલીસે જણાવ્યું કે, આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે મૃત્યુઆંક વધી શકે છે