Connect Gujarat
દુનિયા

2 માછીમારોના મોત બાદ ગુસ્સે ભરાયું ડ્રેગન, ચીને તાઈવાન નજીક પેટ્રોલિંગ વધાર્યું..!

2 માછીમારોના મોત બાદ ચીને તાઈવાનના કિનમેન દ્વીપસમૂહની આસપાસ પેટ્રોલિંગ વધારી દીધું છે. ગયા બુધવારે, બે ચાઇનીઝ માછીમારો માર્યા ગયા હતા

2 માછીમારોના મોત બાદ ગુસ્સે ભરાયું ડ્રેગન, ચીને તાઈવાન નજીક પેટ્રોલિંગ વધાર્યું..!
X

2 માછીમારોના મોત બાદ ચીને તાઈવાનના કિનમેન દ્વીપસમૂહની આસપાસ પેટ્રોલિંગ વધારી દીધું છે. ગયા બુધવારે, બે ચાઇનીઝ માછીમારો માર્યા ગયા હતા જ્યારે તેમની બોટ પલટી ગઇ હતી અને તાઇવાન દ્વારા અન્ય બે ચીની નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી.

આ બોટ કિનમેન ટાપુઓથી લગભગ એક નોટિકલ માઈલના અંતરે સ્થિત પ્રતિબંધિત પાણીમાં માછીમારી કરી રહી હતી. તાઇવાન કોસ્ટ ગાર્ડ ફોર્સ દ્વારા પીછો કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. ચીને તાઈવાન પર માછીમારોના મોતનો આરોપ લગાવ્યો હતો.

Next Story