એરક્રાફ્ટ ક્રેશ: નેપાળમાં પ્લેન ક્રેશ, 68 મુસાફરો સહિત 4 ક્રૂના સભ્યો પ્લેનમાં હતા સવાર
નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 સીટર પેસેન્જર પ્લેન રનવે પર ક્રેશ થયું છે. બચાવ કાર્ય ચાલુ છે. હાલમાં એરપોર્ટ બંધ છે.
BY Connect Gujarat Desk15 Jan 2023 6:54 AM GMT
X
Connect Gujarat Desk15 Jan 2023 6:54 AM GMT
નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 સીટર પેસેન્જર પ્લેન રનવે પર ક્રેશ થયું છે. બચાવ કાર્ય ચાલુ છે. હાલમાં એરપોર્ટ બંધ છે. વિગતોની રાહ જોવાઈ રહી છે.
દુર્ઘટના અંગે માહિતી આપતાં યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું કે યેતી એરલાઈન્સના વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેન જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયું હતું. ખરાબ હવામાનના કારણે પ્લેન પહાડી સાથે અથડાયું હતું. લેન્ડિંગ પહેલા થયેલા અકસ્માત બાદ પ્લેનમાં આગ લાગી હતી. પોખરા પાસે ક્રેશ થયેલું પેસેન્જર પ્લેન ATR-72 યેતી એરલાઈન્સનું કહેવાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં ક્રેશ સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાય છે. હેલિકોપ્ટર દ્વારા દુર્ઘટના સ્થળે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે.
Next Story