ભારત અને નેપાળ સહિત ત્રણ દેશોમાં મંગળવારે તારીખ 7મી જાન્યુઆરી વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 રહી હતી.જયારે ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તિબેટમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 53 લોકોના મૃત્યુ નીપજ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જ્યારે 62થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.
ભૂકંપ સવારે લગભગ 6.52 કલાકે આવ્યો હતો. નેપાળના કાઠમંડુ, ધાડિંગ, સિંધુપાલચોક, કાવરે, મકવાનપુર અને અન્ય ઘણા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતના ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે, ભારતમાંથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.