ઓસ્ટ્રેલિયા પોતાની સરહદ એવા લોકો માટે ખોલવા જઈ રહ્યું છે જેમણે રસીકરણનો સંપૂર્ણ ડોઝ લીધો છે. આ સાથે વિઝા ધારકો માટે બોર્ડર પણ ખોલવામાં આવશે.સરહદો પ્રથમ બંધ થયાના લગભગ બે વર્ષ પછી ફરીથી ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
હા, ઓસ્ટ્રેલિયા પોતાની સરહદ એવા લોકો માટે ખોલવા જઈ રહ્યું છે જેમણે રસીકરણનો સંપૂર્ણ ડોઝ લીધો છે. આ સાથે વિઝા ધારકો માટે બોર્ડર પણ ખોલવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મેરિસ પેઈનના આમંત્રણ પર 10-13 ફેબ્રુઆરી દરમિયાન ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે છે. અહીં તેઓ શુક્રવારે (ગઈકાલે) 4થી ક્વાડ ફોરેન મિનિસ્ટર્સની મીટિંગનો ભાગ બન્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે ઓસ્ટ્રેલિયન સરહદ ફરી ખોલવાનું સ્વાગત કર્યું, જે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને વિઝા ધારકોને ઓસ્ટ્રેલિયાથી પાછા ફરવામાં મદદ કરશે. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સ્કોટ મોરિસને સોમવારે જાહેરાત કરી હતી કે દેશ 21 ફેબ્રુઆરીના રોજ પ્રવાસીઓ સહિત તમામ સંપૂર્ણ રસીવાળા વિઝા ધારકો માટે ખુલશે. તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ મેરીસ પેન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે બંને મંત્રીઓએ ચોક્કસ મુદ્દાઓ પર ફળદાયી અને વ્યાપક ચર્ચા કરી. તેમણે કહ્યું કે વાતચીતનો મુખ્ય વિષય બંને દેશો વચ્ચેના સંબંધો અને આવનારા સમયમાં ગહન પરિવર્તનનો હતો.