વિદેશની ધરતી પર વિધ્નહર્તાનું સ્થાપન, ગુજરાતીઓએ કરી ગણેશ ચતુર્થીના પર્વની ભવ્ય ઉજવણી...

ગણેશોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં સ્વદેશ જ નહીં વિદેશમાં પણ ગણેશ ચતુર્થીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

New Update

વિદેશમાં પણ ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી

ગુજરાતીઓએ વિદેશમાં શ્રીજીની સ્થાપના કરી

લંડનમાં રહેતા ગુજરાતીઓએ મનાવ્યો તહેવાર

શોભાયાત્રા અને ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા

સ્વદેશમાં વસતા પરિજનોને પાઠવી શુભકામના

ભારત દેશમાં ઉજવાતા પરંપરાગત તહેવારો માત્ર સ્વદેશ પૂરતા સીમિત રહ્યા નથી. પરંતુ વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ દ્વારા ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી કરીને દેશના સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખી છે.

ગણેશ ચતુર્થીના તહેવારની સૌકોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાત્યારે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ એવા ગણેશોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં સ્વદેશ જ નહીં વિદેશમાં પણ ગણેશ ચતુર્થીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓએ ગણેશોત્સવ નિમિત્તે શ્રીજીની સ્થાપના કરી છે. મૂળ ભરૂચ જિલ્લાના જંબુસરના અને હાલ યુનાઇટેડ કિંગડમ લંડન ખાતે રહેતા મિત પ્રજાપતિ સહીત તેમના ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના સાથે ગરબે ઘૂમી સ્વદેશમાં વસતા પોતાના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

તો બીજી તરફલંડનમાં સ્થાયી થયેલા અંકલેશ્વરના ભૂમિલ મોદીઅને જૈમિશ ચૌહાણ તેમજ લંડનના લેસ્ટર શહેરમાં રહેતા મયંક સગર સહિત સોમનાથ મહાદેવ ગ્રુપના સભ્યોએ પણ ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરી છે. જેમાં સૌપ્રથમ વિદેશની શેરીઓમાં વાજતે ગાજતે ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ભગવાનની આરતી બાદ સૌ ઉપસ્થિત શ્રીજીભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સ્વદેશમાં વસતા પોતાના પરિવારજનોને ગણેશોત્સવના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

Read the Next Article

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલો, 9 લોકોને બસમાંથી ઉતારી ગોળી મારી

પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો હુમલો થયો છે. જેમાં હુમલાખોરોએ નવ લોકોની ગોળી મારી હત્યા કરી દીધી છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ એક ચાલુ બસને અટકાવી તેમાંથી મુસાફરોને નીચે ઉતારી ગોળીથી વીંધી નાખ્યા હતાં.

New Update
WhatsApp Image 2025-07-11 at 5.32.40 PM

પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો હુમલો થયો છે. જેમાં હુમલાખોરોએ નવ લોકોની ગોળી મારી હત્યા કરી દીધી છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ એક ચાલુ બસને અટકાવી તેમાંથી મુસાફરોને નીચે ઉતારી ગોળીથી વીંધી નાખ્યા હતાં. બલૂચિસ્તાનના અધિકારીએ આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાનના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ હુમલામાં ઓછામાં ઓછા નવ લોકોની હત્યા થઈ છે. ક્વેટાથી લાહોર જતી બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારી અપહરણ કર્યું હતું, બાદમાં તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ દુર્ઘટના ઉત્તરીય બલૂચિસ્તાન નજીક સ્થિત ઝોબ શહેરની છે. 

પ્રત્યક્ષદર્શી  મુજબ, હુમલાખોરોએ અચાનક ચાલુ બસને અટકાવી હતી. બાદમાં બંદૂકના જોરે મુસાફરોને નીચે ઉતરવા કહ્યું. તેમનું અપહરણ કર્યું અને બાદમાં નવ લોકોના આઈડી ચેક કરી તેમની હત્યા કરી દીધી.

મૃતદેહોને બલૂચિસ્તાનના બારખાન જિલ્લાના રેખની હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રદેશ સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આ હુમલાની નિંદા કરતાં તેને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. હુમલાખોરો રાત્રે હુમલો કર્યા બાદ ફરાર છે. તેમની તપાસ ચાલુ છે.

મુખ્યમંત્રી મીર સરફરાજ બુગતીએ આ કૃત્યને 'ખુલા આતંકવાદ' ગણાવતાં કહ્યું કે, હુમલાખોરોએ જાણીજોઈને પાકિસ્તાનીઓની ઓળખ કરી માસૂમ નાગરિકોને ટાર્ગેટ બનાવ્યા છે. આતંકવાદીઓએ ફરી એકવાર પોતાનું ડરપોક વલણ બતાવ્યું છે. નિર્દોષોનું લોહી વ્યર્થ નહીં જાય. આ દેશ વિરૂદ્ધ યુદ્ધ છે. અને અમે તેનો મજબૂત અને નિર્ણાયક જવાબ આપીશું.

આ હુમલાની સાથે સાથે આતંકવાદીઓએ ક્વેટા, લોરાલાઈ, મસ્તુંગમાં પણ ત્રણ આતંકી હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને સુરક્ષા દળો દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હોવાનો દાવો બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે કર્યો હતો.

આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનો, સરકારી ઓફિસો, સુરક્ષા ચોકીઓ, બેન્કો અને સંચાર ટાવર્સને ટાર્ગેટ બનાવ્યા હતાં. બે દિવસ પહેલાં નવ જુલાઈએ પણ પાકિસ્તાનમાં આતંકવાદીઓ દ્વારા બે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતાં. 

ખૈબર પખ્તૂનખ્વાના બન્નુ જિલ્લામાં બે ડ્રોન વડે હુમલા થતાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ત્રણ બાળક ઘાયલ થયા હતાં. આ ઈજાગ્રસ્તોમાં બે બાળક મૃતક મહિલાના હતાં. અગાઉ આ વર્ષે માર્ચમાં પણ જાફર એક્સપ્રેસ ટ્રેનને બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હાઈજેક કરી હતી. 

Pakistan | Balochistan | Terror attack