ઓપરેશન ગંગા: હજુ પણ યુક્રેનમાં ફસાયા છે આટલા ભારતીયો

'ઓપરેશન ગંગા' હજુ શરૂ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, હાલમાં યુદ્ધની સ્થિતિ જ છે,

New Update

રશિયા-યુક્રેન યુદ્ધમાં 15થી 20 ભારતીયો હજુ પણ યુક્રેનમાં અટવાયેલા છે. ત્યારે વિદેશ મંત્રાલયે ગુરુવારનાં રોજ જણાવ્યું કે, 'જે ભારતીયો ત્યાંથી બહાર નીકળવા માંગે છે તેઓને તમામ પ્રકારની મદદ આપવામાં આવી રહી છે.' આ બાબતે મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 'ઓપરેશન ગંગા' હજુ શરૂ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, હાલમાં યુદ્ધની સ્થિતિ જ છે, પરંતુ જે લોકો બહાર આવવા માંગે છે તેમને બહાર કાઢવાનું કામ અમે ચાલુ રાખીશું.

બાગચીએ કહ્યું કે, "ત્રણ દિવસ પહેલાં ત્યાં અંદાજે 50 ભારતીયો હતાં. અમારું અનુમાન છે કે, 15થી 20 લોકો કે જે દેશ (યુક્રેન) છોડવા માંગે છે. કેટલાંક એવાં પણ છે કે જેઓ હવે બહાર આવવા નથી માંગતા. ત્યારે શક્ય તેટલી મદદ અમે કરી રહ્યાં છે. જણાવી દઇએ કે, 22,500 ભારતીયોને યુક્રેનમાંથી પાછા લાવવામાં આવ્યા છે અને કેટલાંક લોકો હજુ પણ ત્યાં છે અને આ એક ઉભરતી પરિસ્થિતિ છે. અમે ત્યાં રહેલા તમામ ભારતીયોના સંપર્કમાં છીએ. ભારતીય દૂતાવાસ શક્ય તમામ મદદ કરી રહ્યું છે."

Latest Stories
    Read the Next Article

    અમેરિકાએ ભારતીયો માટે જાહેર કરી એડવાઈઝરી, વિઝા અને ઇમિગ્રેશન અંગે અનેક નિવેદનો કર્યા જાહેર

    અમેરિકા વધતી જતી ઇમિગ્રન્ટ્સની સંખ્યા બાદ કડક વલણ અપનાવી રહ્યું છે. આ જ કારણ છે કે તે તેની વિઝા નીતિમાં પણ ઘણા ફેરફારો કરી રહ્યું છે. ભારતમાં યુએસ

    New Update
    visa

    અમેરિકા વધતી જતી ઇમિગ્રન્ટ્સની સંખ્યા બાદ કડક વલણ અપનાવી રહ્યું છે. આ જ કારણ છે કે તે તેની વિઝા નીતિમાં પણ ઘણા ફેરફારો કરી રહ્યું છે.

     ભારતમાં યુએસ એમ્બેસીએ સ્પષ્ટતા કરી છે કે વિઝા મળ્યા પછી પણ તપાસ ચાલુ રહે છે. જો કોઈ વ્યક્તિ યુએસ કાયદા અને ઇમિગ્રેશન નિયમોનું પાલન નહીં કરે તો તેના વિઝા રદ કરવામાં આવશે અને તેને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે.

    ભારતમાં યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને લખ્યું કે વિઝા જાહેર થયા પછી અમેરિકાના વિઝાની તપાસ બંધ થતી નથી. અમે સતત વિઝા ધારકોની તપાસ કરીએ છીએ કે તેઓ બધા યુએસ કાયદા અને ઇમિગ્રેશન નિયમોનું પાલન કરી રહ્યા છે અને જો તેઓ આમ નહીં કરે તો અમે તેમના વિઝા રદ કરીશું અને તેમને દેશમાંથી હાંકી કાઢીશું.

    આ સાથે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સોશિયલ મીડિયાની માહિતી જાહેર કરવી પણ ફરજિયાત છે. ગેરકાયદેસર પ્રવેશ અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. વિઝા અરજદારોને સાવધ રહેવા અને તમામ નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

    યુએસ એમ્બેસીએ તાજેતરમાં વિઝા અને ઇમિગ્રેશન અંગે અનેક નિવેદનો જાહેર કર્યા છે. આ પગલાને દેશમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓને રોકવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. બે અઠવાડિયા પહેલા યુએસ એમ્બેસીએ જાહેરાત કરી હતી કે અરજદારોએ છેલ્લા પાંચ વર્ષમાં ઉપયોગમાં લેવાતા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના તેમના યુઝરનેમ અથવા હેન્ડલનો ખુલાસો કરવો જરૂરી છે.

    Latest Stories