કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો પલટવાર કરતા ભાગેડુ લલિત મોદીએ અનેક ટ્વિટ કર્યા છે. તેણે કહ્યું કે મોદીના પરિવારે દેશ માટે ઘણું કર્યું છે. કલ્પના પણ કરી શકાતી નથી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભાગેડુ લલિત મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમને ભાગેડુ ગણાવીને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. હવે લલિત મોદીએ રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કર્યો છે. તેણે કહ્યું કે, તે રાહુલ વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં જશે. તેને મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તેણે પોતાના ટ્વિટમાં કહ્યું કે, તેને દોષિત ઠેરવવામાં આવ્યો નથી અને તે દેશનો સામાન્ય નાગરિક છે. ‘મોદી સરનેમ’ના નિવેદન પર સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેથી તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. લલિત મોદીએ કોંગ્રેસના નેતાઓને ભાગેડુ ગણાવતા સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ કેમ અને કેવી રીતે ભાગેડુ છે? તેણે રાહુલને ‘પપ્પુ’ કહ્યો અને પૂછ્યું કે આખરે તેને ક્યારે દોષિત ઠેરવવામાં આવ્યો? તેમણે કહ્યું કે, એક અને અન્ય વિપક્ષી નેતાઓને બીજું કંઈ કરવાનું નથી, કાં તો તેમની પાસે ખોટી માહિતી છે અથવા તેઓ બદલાની ભાવનાથી બોલે છે.