Connect Gujarat
દુનિયા

રામ મંદિર: વિદેશમાં પણ રામ મંદિરને લઈને ઉત્સાહ, ટાઈમ્સ સ્ક્વેર ખાતે થશે પ્રાણ પ્રતિસ્થાનું જીવંત પ્રસારણ..!

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિસ્થાનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ થશે.

રામ મંદિર: વિદેશમાં પણ રામ મંદિરને લઈને ઉત્સાહ, ટાઈમ્સ સ્ક્વેર ખાતે થશે પ્રાણ પ્રતિસ્થાનું જીવંત પ્રસારણ..!
X

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિસ્થાનું લાઈવ ટેલિકાસ્ટ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ થશે. તેનું લાઈવ ટેલિકાસ્ટ અમેરિકાના ન્યુયોર્ક સિટીના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે પણ કરવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વિવિધ દેશોમાં ભારતીય દૂતાવાસોમાં પણ પ્રાણ પ્રતિસ્થાનું પ્રસારણ કરવામાં આવશે. આ પ્રસંગે પીએમ મોદી રામ ભક્તોને સંબોધિત કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ મોદી સમારોહની તૈયારીઓ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેમણે જે ધાર્મિક વિધિઓ અને નિયમોનું પાલન કરવું જરૂરી છે તેની વિગતવાર માહિતી પણ માંગી છે.

રામ લલ્લાના પ્રાણ પ્રતિસ્થા માટે 84 સેકન્ડનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. આ સમય 22 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે. મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. આ મંદિર ત્રણ માળનું છે, જેનો દરેક માળ 20 ફૂટ ઊંચો છે. તેમાં કુલ 392 થાંભલા અને 44 દરવાજા છે.

Next Story