પાકિસ્તાનમાં PMનો ચહેરો નક્કી, ઝરદારીને મળશે રાષ્ટ્રપતિની જવાબદારી...
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીને ઘણો સમય વીતી ગયો છે. જો કે, હજુ સુધી પાકિસ્તાનમાં નવી સરકાર બની નથી.
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીને ઘણો સમય વીતી ગયો છે. જો કે, હજુ સુધી પાકિસ્તાનમાં નવી સરકાર બની નથી. દરમિયાન, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વડા નવાઝ શરીફ વચ્ચે નવી સરકારની રચનાની શરતો પર સહમતિ બની છે.
એક્સપ્રેસ ટ્રિબ્યુને મંગળવારે અહેવાલ આપ્યો કે બિલાવલ ભુટ્ટો અને નવાઝ શરીફ ગઠબંધન અને સરકારની રચનાની શરતો પર સહમત થયા છે.
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમારી પાસે સરકાર બનાવવા માટે પૂરતી સંખ્યા નથી. પાકિસ્તાનને આ સંકટમાંથી બહાર કાઢવા માટે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને મુસ્લિમ લીગ-નવાઝ સરકાર બનાવવા જઈ રહી છે. મને આશા છે કે શેહબાઝ શરીફ આગામી વડાપ્રધાન બનશે.
એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, મંગળવારે પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને પીએમએલ-એન પ્રમુખ શહેબાઝ શરીફ વચ્ચેની વાતચીત બાદ આ જોડાણની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં શાહબાઝ શરીફ, આસિફ અલી ઝરદારી, ઈશાક ડાર અને બિલાવલ ભુટ્ટો હાજર હતા. ભુટ્ટોએ પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શેહબાઝ શરીફ ફરી એકવાર વડા પ્રધાનની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે, જ્યારે આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિ બનવા માટે તૈયાર છે.
તેમણે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે દરેક પાકિસ્તાની પડકારોનો સામનો કરી રહ્યો છે અને આ મુશ્કેલીઓનો સામનો કરવાની જવાબદારી આપણી છે. જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું કે અમારી પાર્ટીએ પહેલા દિવસથી કોઈ મંત્રાલયની માંગ કરી નથી.