Train Collision : ગ્રીસમાં મોટો અકસ્માત, માલગાડી અને પેસેન્જર ટ્રેન એકબીજા સાથે અથડાઇ, 32ના મોત, 85 થી વધુ ઘાયલ

ગ્રીસથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં બે ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે.

New Update
Train Collision : ગ્રીસમાં મોટો અકસ્માત, માલગાડી અને પેસેન્જર ટ્રેન એકબીજા સાથે અથડાઇ, 32ના મોત, 85 થી વધુ ઘાયલ

ગ્રીસથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં બે ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. જ્યારે 85થી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાસ્થળે રાહત-બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટના ગ્રીક શહેરો થેસાલોનિકી અને લારિસા વચ્ચે થઈ હતી.

માહિતી અનુસાર મોડી રાત્રે એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો. જેના કારણે ઘણી બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. ત્રણ બોગીમાં આગ લાગી હતી. પેસેન્જર ટ્રેનમાં સવાર મોટી સંખ્યામાં મુસાફરો આ અકસ્માતનો ભોગ બન્યા હતા. અત્યાર સુધીમાં 16 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 85થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાંથી 25ની હાલત નાજુક છે.

એથેન્સથી લગભગ 235 માઈલ ઉત્તરમાં ટેમ્પી પાસે બનેલી આ ઘટના પછીના કેટલાય વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાહત કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, 'કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા'. ત્રણ બોગીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા 85 ઘાયલ છે.

Read the Next Article

ટ્રમ્પના ટેરિફ પગલાં વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતની પુષ્ટિ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે ગુરુવારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. મોસ્કોમાં રહેલા ડોવલે તારીખોનો ઉલ્લેખ કર્યો નથી,

New Update
3

ટ્રમ્પના ટેરિફ પગલાં વચ્ચે પુતિનની ભારત મુલાકાતની પુષ્ટિ, NSA અજિત ડોવલે કહ્યું - રશિયન રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં આવશે

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે ગુરુવારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. મોસ્કોમાં રહેલા ડોવલે તારીખોનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સી અનુસાર, પુતિનની મુલાકાત ઓગસ્ટના અંતમાં થવાની સંભાવના છે.

NSA અજિત ડોવલે કહ્યું, ભારત અને રશિયા વચ્ચે ખાસ સંબંધ છે, જેને અમે ખૂબ મહત્વ આપીએ છીએ. અમારા ઉચ્ચ સ્તરીય સંપર્કો થયા છે. રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત વિશે જાણીને અમે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છીએ. મને લાગે છે કે હવે તારીખો પણ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.

પુતિનની ભારત મુલાકાત એવા સમયે થશે જ્યારે અમેરિકાએ રશિયન તેલ ખરીદી રોકવા બદલ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. અજિત ડોવલે રશિયાની મુલાકાત પહેલાં, મોસ્કોએ ભારતના તેના વેપાર ભાગીદારો પસંદ કરવાના અધિકારને સમર્થન આપીને ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે દેશોને રશિયા સાથે વેપાર સંબંધો તોડવા માટે દબાણ કરવું ગેરકાયદેસર છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (6 ઓગસ્ટ, 2025) એક નવા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા જેમાં ભારત પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હતો. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો મોસ્કો શુક્રવાર (7 ઓગસ્ટ, 2025) સુધીમાં યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે સંમત નહીં થાય, તો તેઓ રશિયન તેલ ખરીદનારાઓ પર ગૌણ ટેરિફ લાદશે.
Russia | President Putin | PM Modi | India | Ajit Doval
Latest Stories