અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો.

અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો.
New Update

અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે "૧૭મો સન્માન સમારંભ" સમાજની વાડી મોઢેશ્વરી હોલ ખાતે યોજાયો હતો. જેેેેમાં સમાજના ધોરણ ૧૦ અને ૧૨ના ૬૬ જેટલા તેેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોઢ ઘાંચી સમાજના ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનો "૧૭મો સન્માન સમારંભ" અંકલેશ્વર સ્થિત સમાજની વાડી મોઢેશ્વરી હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સમાજના પ્રમુખ નરેશ મોદીએ પોતાના સ્વાગત પ્રવચન દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર સન્માન સંમારોહમાંં અતીથી વિશેષ પદે શહેરના અગ્રણી વેપારી અને સમાજના ભૂતપૂર્વ કારોબારી સભ્ય કિશોર ગોળવાલા, વાલીયા ના અગ્રણી વેપારી લલીત મોદી, કોસંબાના અગ્રણી વેપારી સતીષ ચંપકલાલ મોદી તથા રીલાયન્સ-જીયો વાયરલેસના વાઇઝ પ્રેસિડેન્ટ ઋષિ ગોળવાલા તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઋષિ ગોળવાલાએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં આજની ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ છે. રીલાયન્સ દ્વારા પણ પણ હવે 5જીના ક્ષેત્રમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકામાં સમાજના સભ્ય ચેતન ગોળવાલાને કારોબારી ચેરમેન પદે, કલ્પેશ મોદીને સેનીટેશન વિભાગના ચેરમેન પદ તથા ડીસ્પેન્સરી કમીટીના ચેરમેન પદે શિલ્પા સુરતીને પદ સંભાળવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

#ભરૂચ #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article