કોરોના મહામારી : રાજ્યમાં સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 1 લાખને પાર, આજે વધુ 1325 નવા કેસ નોંધાયા

New Update
કોરોના મહામારી : રાજ્યમાં સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 1 લાખને પાર, આજે વધુ 1325 નવા કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1325 નવા પોઝિટવ કેસ નોંધાયા છે. અને વધુ 16 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં આજે 1126 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1 લાખ 375 પર પહોંચી છે. અને કુલ મૃત્યુઆંક 3064 થયો છે.

રાજ્યમાં આજે 1325 નોંધાયેલ નવા કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં179, અમદાવાદ કોર્પોરેશનમાં 150, જામનગર કોર્પોરેશમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 95, વડોદરા કોર્પોરેશનાં 86, રાજકોટ-40, વડોદરા -37, પંચમહાલ-32, ભાવનગર-31, બનાસકાંઠા-30, અમરેલી-29, ભાવનગર કોર્પોરેશન-27, ભરુચમાં-26, પાટણ-26, મોરબી-24, મહેસાણા-23, સુરેન્દ્રનગર- 22, ગાંધીનગર કોર્પોરેશન-20 અને ગાંધીનગરમાં-19, દાહોદ અને જામનગરમાં 18-18, કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 16 દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત થયા છે.જેમાં અમદાવાદ કોર્પોરેશનનમાં 3, રાજકોટ કોર્પોરેશન- 3, સુરત-3, સુરત કોર્પોરેશનમાં 2, ભરુચ-1, ભાવનગર કોર્પોરેશન-1, ગાંધીનગર-1, વડોદરા-1, વડોદરા કોર્પોરેશન-1, નું મોત થયું છે.

રાજ્યમાં હાલ 16131 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 81180 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16042 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.88 ટકા છે.



Latest Stories