કોવિડ-19 : ગુજરાત રાજ્યમાં આજે 1278 નવા કેસ નોધાયા, જ્યારે 1266 દર્દીઑ થયા સ્વસ્થ

New Update
કોવિડ-19 : ગુજરાત રાજ્યમાં આજે 1278 નવા કેસ નોધાયા, જ્યારે 1266 દર્દીઑ થયા સ્વસ્થ

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1278 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે આજે વધુ 10 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આજે 1266 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,47,951 પર પહોંચી છે.જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3541 થયો છે.

રાજ્યમાં આજે 1278 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોપોરેશનમાં 176, અમદાવાદ કોપોરેશનમાં 169, સુરતમાં 94, રાજકોટ કોપોરેશનમાં 88, વડોદરા કોપોરેશનમાં 82, જામનગર કોપોરેશનમાં 65, વડોદરામાં 42, મહેસાણામાં 39, અમરેલીમાં 34, બનાસકાંઠામાં 31, સાબરકાંઠામાં 29, અમદાવાદમાં 26, ભરૂચમાં 26, ગાંધીનગરમાં 24, જામનગરમાં 24, પંચમહાલમાં 24,સુરેન્દ્રનગરમાં 24, જુનાગઢમાં 23, પાટણમાં 23, ગાંધીનગર કોપોરેશમાં 21, કચ્છમાં 20, ભાવનગર કોપોરેશનમાં 18, જુનાગઢ કોપોરેશનમાં 18, મોરબીમાં 18, રાજકોટમાં 17, દાહોદમાં 15, ગીર સોમનાથમાં 14, ખેડામાં 12, મહીસાગરમાં 12, નર્મદામાં 12, વલસાડમાં 8, નવસારીમાં 7, તાપીમા 6 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 10 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 1, અમરેલીમાં-1, બનાસકાંઠા-1, ગીર સોમનાથ-1, પાટણ-1, સુરત-1 અને તાપીમાં 1 દર્દીનું મોત થયું હતું.

રાજ્યમાં આજે કુલ 1266 દર્દી સાજા થયા હતા અને 52,465 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 48,58,505 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 86.46 ટકા છે.રાજ્યમાં હાલ 16487 એક્ટિવ કેસ છે, જ્યારે 1,27,932 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,406 લોકો સ્ટેબલ છે.

Latest Stories