/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/16224247/coronavirus-1580281256.jpg)
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1364 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. અને વધુ 12 દર્દીઓના મોત થયા છે. જ્યારે 1447 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,17,709 કેસ નોધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મુત્યુઆંક 3259 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.39 ટકા છે.
રાજ્યમાં આજે 1364 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશન 174, અમદાવાદ કોર્પોરેશન 147, જામનગર કોર્પોરેશન 108, સુરત 107, રાજકોટ કોર્પોરેશન 99, વડોદરા કોર્પોરેશન 81, રાજકોટ 44, વડોદરા 41, મહેસાણા 36, બનાસકાંઠા 34, કચ્છ 34, ભાવનગર કોર્પોરેશન 28, પંચમહાલ 28, અમરેલી 27, મોરબી 26, પાટણ 26, ભરૂચ 25, ગાંધીનગર 23, મહીસાગર 21, જુનાગઢ 20, સુરેન્દ્રનગર 19, અમદાવાદ 18, ગાંધીનગર કોર્પોરેશન 18, જામનગર 18, જુનાગઢ કોર્પોરેશન 18, તાપી 16, ભાવનગર 15, ગીર સોમનાથ 15, ખેડા 14, સાબરકાંઠા 10, આણંદ 9, દાહોદ 9, બોટાદ 8, દેવભૂમિ દ્વારકા 8, નર્મદા 8, છોટા ઉદેપુર 7, વલસાડ 7, અરવલ્લી 5, ડાંગ 5, નવસારી 5, પોરબંદર 3 કેસ નોધાયા છે.
રાજ્યમાં આજે 12 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન 3, સુરત 3, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશન 1 દર્દીનું મોત થયું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 98,156 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,294 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 98 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,169 સ્ટેબલ છે.