કોરોના મહામારી : ગુજરાતમાં આજે વધુ 1197 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત

New Update
કોરોના મહામારી : ગુજરાતમાં આજે વધુ 1197 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1197 પોઝીટીવ કેસ નોંધાયા છે. અને વધુ 17 દર્દીઓના મોત થયા છે,જ્યારે 1047 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 90,193 પર પહોંચી છે. અને કુલ મૃત્યુઆંક 2947 થયો છે.

રાજ્યમઆ 1197 નવા નોંધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 168 ,અમદાવાદ કોર્પોરેશનમાં 144, વડોદરા કોર્પોરેશનમાં 90, સુરતમાં 85, જામનગર કોર્પોરેશમાં 79, રાજકોટ કોર્પોરેશમાં 77, અમરેલીમાં 34, વડોદરામાં 34, પંચમહાલમાં 31, ભરૂચમાં 29, ભાવનગર કોર્પોરેશનમાં 27, કચ્છમાં 24, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 23-23, રાજકોટમાં 22, મહેસાણા અને પાટણમાં 21-21, ગાંધીનગર કોર્પોરેશનમાં 20 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 17 દર્દીઓના કોરોના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનમાં 4, રાજકોટમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરતમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1 નું મોત થયું છે.

રાજ્યમાં હાલ 14,798 એક્ટિવ કેસ છે, જ્યારે 72,308 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,798 લોકો સ્ટેબલ છે

Latest Stories