જામનગર : ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં મસાલા વેચાતા વેપારીઓને ત્યાં આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું

New Update
જામનગર : ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં મસાલા વેચાતા વેપારીઓને ત્યાં આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું

જામનગરના ગ્રેઇન માર્કેટ વિસ્તાર ના હિન્દ મસાલા નામની દુકાન માં આજે આરોગ્ય ની ટિમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

જામનગર જુદા જુદા મસાલાનાં વેપારીઓને ત્યાં આરોગ્ય ની ટિમ, દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું

જુદા જુદા વેપારીઓને ત્યાંથી મરચાં ના પાઉડર ધાણાજીરું ના સેમ્પલ પણ લેવા અંગેની કાર્યવાહી હાથ ધરાઇ

જામનગર શહેરમાં સિઝન ના મસાલા ભરવા માટે થઈ ને ખરીદી ગ્રાહકો દ્વારા શરૂ થઈ છે ત્યારે શહેર ના ગ્રેઇન માર્કેટ વિસ્તાર માંથી અનેક લોકો હળદર મરચાનો હવેજ ધાણાજીરું સહિતના મસાલાઓની ખરીદી કરતાં હોય છે ત્યારે લોકોના આરોગ્ય ને હાનિકારક મસાલાનું વેચાણ ન થાય તેવા હેતુસર જામનગર મહાનગર પાલિકા આરોગ્ય ની ટિમ ચેકિંગ કરતી હોય છે.

જામનગરના ગ્રેઇન માર્કેટ વિસ્તારના હિન્દ મસાલા નામની દુકાનમાં આજે આરોગ્યની ટિમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન હળદરના પાઉડરનું સેમ્પલ લેવામાં આવ્યા. આ સેમ્પલ વડોદરા ખાતે લેબોરેટરીએમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત આજે જામનગર જુદા જુદા મસાલાનાં વેપારીઓને ત્યાં આરોગ્ય ની ટિમ, દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. અને જુદા જુદા વેપારીઓને ત્યાંથી મરચાંના પાઉડર ધાણાજીરુંના સેમ્પલ પણ લેવા અંગેની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું ફૂડ અધિકારી એ જણાવ્યુ હતું વધુમાં એમ પણ જણાવ્યુ હતું વધુ મસાલાની સિઝન દરમિયાન લોકોને શુધ્ધ અને સારા મસાલા મળી રાહે તે જરૂરી છે. હળદર ના પુદરમાં તેમજ મરચાના પાઉડરમાં ધાણાજીરુંમાં ભેળસેળ થતી હોય તેવી લોકોની ફરિયાદો ઉઠી છે. ત્યારે આવા મસાલા વેચાતા વેપારીઓને ત્યાં આરોગ્ય ની ટિમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે.

Latest Stories