નર્મદા જિલ્લામાં તળાવો બન્યા લોકો માટે આફત,૧૦ તળાવો ફાટયા

New Update
નર્મદા જિલ્લામાં તળાવો બન્યા લોકો માટે આફત,૧૦ તળાવો ફાટયા

તિલકવાડા,ગરુડેશ્વર નાંદોદના ૧૦ તળાવો ફટયા તળાવના પાણીથી ગામોમાં પુરની પરિસ્થિતિ,ખેતીને વ્યાપક નુકસાન

ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા સુજલામ સુફલામ સૌની યોજના શરૂ કરવામાં આવી હતી.જેમાં નર્મદા જિલ્લામાં પણ લગભગ ૫૦ જેટલા તળાવો ખોદવામાં આવ્યા હતા.આ તળાવ ચોમાસામાં ભરાય અને એ પાણી ગ્રામજનો સિંચાઇ અને અન્ય કામોમાં વાપરી શકે એ હેતુથી બનાવવામાં આવ્યા હતા.નર્મદામાં સારા વરસાદને લઈને આ તળાવ સંપૂર્ણ ભરાઈ ગયા હતા.

ગ્રામ લોકોની સુવિધા માટે બનાવેલા આ તળાવો આજે ગામ લોકોની મુસીબત બની ગયા છે. કેમકે આ તળાવો એક પછી એક ફાટી રહ્યા છે. તાજેતરમાં તિલકવાડાના પીંછીપુરામાં પાંચ તળાવો બનાવવામાં આવ્યા હતા જેમાંથી ૩ તળાવો ફટયા છે.જેમાં લોકોના ઘરોમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી,ઘરવખરી તણાઈ ગઈ સાથે બે બળદ,૮ બકરા તણાઈ ગયા,એક બળદ મરી ગયો.આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાંતો ચોથું તળાવ ફાટ્યું હોવાની ઘટના સામે આવી છે.ટીમરવા નાંદોદનું હાંડી,ઢોચકી,મહુપડા સહિત ગામોમાં પણ તળાવો ફટયા છે. ત્યારે જિલ્લામાં તળાવો ફાટવાના કારણે ખેતીને પણ મોટું નુકસાન થયું છે.

આમ આ સૌની યોજના જિલ્લા વાસીઓ માટે એક આફત રૂપ સાબિત થઇ રહી છે.કેમકે આ વર્ષે ભારે વરસાદને પગલે તળાવો એક પછી એક ફાટવાની જે ઘટના બની રહી છે.જેમાં જે ખેડૂતોને ખેતીનો વ્યાપક નુકસાન થઈ રહ્યું છે સાથે ઘરવખરીનો સામાન અને જાનમાલને પણ નુકસાન થઈ રહ્યો છે.હાલ તળાવ તંત્રના માથાનો દુખાવો બની ગયો છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories