નવસારીના હાંસાપોર ગામના તળાવમાં ડુબી જવાના પગલે તરૂણનું મોત

નવસારીના હાંસાપોર ગામના તળાવમાં ડુબી જવાના પગલે તરૂણનું મોત
New Update

જલાલપોરના ગૌરીશંકર મોહલ્લામાં લગ્ન પતાવી તળાવમાં બે મિત્રો નાહવા ગયા હતા

તળાવમા નાહવા પડેલા જલાલપોરનો અભય જોષીનું ડુબી જતા મોત

ચામડી દઝાડતી ગરમી અને બફારા વચ્ચે સ્વાભાવિક પણે નદી કે તળાવોમાં ડૂબકી મારવાનું મન થાય એવુંજ કઈ નવસારીના જલાલપોરના ગૌરીશંકર મોહલ્લાના બે તરૂણ હાંસાપોર ગામે આવેલા તળાવમાં ગરમીના કારણે પાણીમાં ઠંડક મેળવવા ગયા હતા.

પરંતુ બે યુવાનો પૈકી એક અભય જોશી નામનો તરૂણ નાહવા પડતા ડૂબી ગયો હતો. જેની જાણકારી સાથે ગયેલા મિત્રેએ પરિવારને જાણ કરતા ડૂબી ગયેલા તરૂણને ગઈકાલની રાત્રી દરમ્યાન તળાવમાં મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી. જે મૃતદેહ સવારે મળી આવતા પરિવારની વિધવા મા પર આભ તૂટી પડ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથધરી મૃતક તરૂણના મૃતદેહનું પી.એમ કરાવવાની તજવીજ શરૂ કરી હતી.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article