ભરૂચ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 151મી જન્મ જયંતિ, સ્ટેચ્યું પાર્ક ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

New Update
ભરૂચ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 151મી જન્મ જયંતિ, સ્ટેચ્યું પાર્ક ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

ભરૂચ શહેરના સ્ટેચ્યું પાર્ક ખાતે નગરપાલિકા દ્વારા 2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે, જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, 2જી ઓક્ટોબર રોજ તેમનો જન્મ દિવસ હોવાથી દેશભરમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. જોકે આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.

ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે. આ દિવસને ગાંધીજી પ્રત્યે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે, ત્યારે 2જી ઓક્ટોબરના રોજ અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરના સ્ટેચ્યું પાર્ક ખાતે નગરપાલિકા દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, મુખ્ય અધિકારી સંજય સોની સહિતના આગેવાનો તેમજ સ્થાનિક નગરસેવકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું.

New Update
Screenshot_2025-07-22-18-04-10-75_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું.

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. આજે વડોદરા તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.
હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. વાહનચાલકોને 2 થી 3 કલાક સુધી જામમાં ફસાવું પડ્યું હતું. રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહનચાલકો ત્રાસી ઉઠ્યા છે. હાઈવેના માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે અને આમલાખાડી બ્રિજને વિસ્તૃત કરીને ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત અપાવવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યે છે.
Latest Stories