ભારતના સૈન્ય જવાનોએ આજે ભુજ ખાતે બટાલિયનમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

New Update
ભારતના સૈન્ય જવાનોએ આજે ભુજ ખાતે બટાલિયનમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

આજે વિશ્વ યોગ દિવસની ભારત સાથે વિશ્વમાં અનોખી રીતે ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છની સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોએ ભુજ ખાતે બટાલિયનમાં યોગ કર્યા હતા.

દેશની સુરક્ષા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો હંમેશા સરહદ પર તૈનાત હોય છે.દેશ કે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિ હોય કે રમખાણોની સ્થિતિ સર્જાય ત્યારે બીએસએફ જવાનો નાગરિકોની સુરક્ષા માટે તૈનાત હોય છે.

ભારતના સૈન્ય જવાનોએ આજે ભુજ ખાતે બટાલિયનમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. હર મેદાન ફતેહ બીએસએફની 108 બટાલિયન ખાતે જવાનોએ આજે વહેલી સવારે વિવિધ પ્રકારના યોગ કરી વિશ્વ યોગ દિવસ ઉજવ્યો હતો.આ સાથે ભુજમાં આવેલી અન્ય બટાલિયનોમાં તેમજ સરહદ પર તૈનાત જવાનોએ પણ યોગ કરી દિવસની ઉજવણી કરી હતી.સરહદી કચ્છ જિલ્લાની ક્રિક અને રણ સરહદ સંવેદનશીલ છે. ત્યાં પણ જવાનો યોગ દિવસને ઉજવી રહ્યા છે. તો કાશ્મીરથી ક્ચ્છ સુધી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં તૈનાત બીએસએફ જવાનો યોગ કરી દિવસને ઉજવી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: અંકલેશ્વરના પિલુદ્રા અને હાંસોટના ખરચ ગામેથી દીપડો પાંજરે પૂરતા હાશકારો

વનવિભાગ દ્વારા દીપડાના ફૂટ પ્રિન્ટના આધારે બે જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.જે પાંજરામાં ગત રાત્રે અંદાજિત ચાર વર્ષીય દીપડો પંજારે પુરાયો

New Update
Kharach Village
ભરૂચ જિલ્લામાં જંગલમાંથી ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણી પ્રયાણ કરી રહ્યા છે.ત્યારે અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના ગામોમાં દીપડા નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામે દીપડાની અવરજવર થતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વનવિભાગ દ્વારા દીપડાના ફૂટ પ્રિન્ટના આધારે બે જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.જે પાંજરામાં ગત રાત્રે અંદાજિત ચાર વર્ષીય દીપડો પંજારે પુરાયો હતો.દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે હજુ પણ દીપડા હોવાથી વનવિભાગ દ્વારા વધુ પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ બિરલા કંપનીમાં દીપડો નજરે પડતા વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં 2 જુલાઈના રોજ અંદાજિત બે વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો,અગાઉ પણ આ બિરલા કંપનીમાંથી બે જેટલા દીપડા પાંજરે પુરાયા હતા.આ બંને દીપડાની તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
Latest Stories