/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/11190209/maxresdefault-146.jpg)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે તે પૂર્વે રાજકોટ
શહેરના સેઢે આવતા ગામોને મહાપાલિકામાં ભેળવવાનો સિલસિલો વર્ષોથી ચાલતો આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે
ગણતરીના જ મહિનાઓ બાકી બચ્યાં છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા
રાજકોટ શહેરના આવતાં 5 જેટલા ગામોને ભેળવવામાં આવ્યા છે. 5 ગામોને ભેળવવાની
જાહેરાત મેયર દ્વારા કરવામાં આવતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે બસ ગણતરીના જ
મહિનામાં બાકી રહ્યા છે, ત્યારે રાજકોટના મેયર દ્વારા રાજકોટ
મહાનગરપાલિકાના વિસ્તારમાં 5 જેટલા ગામોને મેળવવાની જાહેરાત કરવામાં આવી છે. જે
ગામોમાં માધાપર, મનહરપુર, ઘંટેશ્વર, મુંજકા અને મોટા મોવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટના મેયર દ્વારા 5 ગામોને મહાપાલિકામાં ભેળવવાની જાહેરાત
કરાતા માધાપર ગામે લોકોએ ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી, તો બીજી તરફ
માધાપરના સરપંચ દ્વારા આ જાહેરાતનો
વિરોધ કરવામાં આવ્યો હતો. માધાપર ગામના રહેવાસીઓનું કહેવું છે કે, વર્ષોથી તેમને જે પ્રાથમિક સુવિધાઓ મળતી ન હતી, તે હવે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા અપાવવામાં આવશે. તો બીજી તરફ
સરપંચનું કહેવું છે કે, અત્યાર સુધીમાં કોર્પોરેશનના કોઈ પણ
સત્તાધીશો કે પદાધિકારીઓ આ ગામમાં પડતી તકલીફો જોવા
સુદ્ધા આવ્યા નથી.
વર્ષ 2015ની ચૂંટણી સમયે મહાનગરપાલિકા
દ્વારા વાવડી અને કોઠારીયા ગામોને કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યા હતા. જો કે આ
વાતને 4 વર્ષથી પણ વધુનો સમય વીતી ગયો છે, ત્યારે હજુ
પણ ત્યાં મોટાભાગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આગામી
સમયમાં આજે કરવામાં આવેલ જાહેરાતના 5 જેટલા ગામમાં વિકાસ થશે કે કેમ તે હવે જોવું રહ્યું.