રાજકોટ : પત્રકારો પર થયેલા અત્યાચાર મામલે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો

રાજકોટ : પત્રકારો પર થયેલા અત્યાચાર મામલે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો
New Update

જૂનાગઢમાં પત્રકારો પર થયેલા અત્યાચાર મામલે થયો વિરોધ

નાગરિકો દ્વારા કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો

નાગરિકો ની સાથે કોંગ્રેસના કોર્પોરેટર પણ જોડાયા.

શિવસેના દ્વારા પણ રાજકોટ માં ભારે વિરોધ

રાજકોટ રવિવારે જૂનાગઢમાં પત્રકારો પર થયેલા અત્યાચાર અને રાજ્યભરમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર મામલે આજે ભીમસેના રસ્તા પર ઉતરી આવી હતી. અને વિરોધ કર્યો હતો. ભીમસેનાના કાર્યકર્તાઓએ સિવિલ હોસ્પિટલ ચોકમાં રસ્તા પર સૂઈ જઈ ચક્કાજામ કર્યો હતો.જેને લઈને રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

ભીમસેનાના કાર્યકરોએ 'દલિતો પર અત્યાચાર બંધ કરો' અને 'પત્રકાર પર અત્યાચાર બંધ કરો'ના નારા લગાવ્યા હતા. આ સાથે જ 150 ફૂટ રિંગરોડ પર શહેરના નાગરિકોએ કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો છે. મીડિયાકર્મી પર થયેલા હુમલા અંગે શિવસેના અને સત્યમેવ જયતે ગ્રુપે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી

#Connect Gujarat #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article