જૂનાગઢ : દિગંબર જૈન રમોસરણ મંદિરમાં સાપ આવી જતા અફરાતફરીનો માહોલ
BY Connect Gujarat16 Nov 2019 6:11 AM GMT
X
Connect Gujarat16 Nov 2019 6:11 AM GMT
જૂનાગઢના
ભવનાથ પાસે આવેલા રૂપાયતન રોડ પર દિગંબર જૈન રમોસરણ મંદીર ધર્મશાળામાં સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢના
ભવનાથના રૂપાયતન ખાતે આવેલ શ્રી દિગંબર જૈન રમોસરણ મંદિર ધર્મશાળામાં સાપ આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાપ મંદિરની અંદર આવી જવાની જાણ થતાં પ્રકૃતિ
પ્રેમી ભાવેશ પ્રજાપતિને થતાં તેઓ સાપ પકડવા માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મંદિરના અંદરથી એક મિનિટમાં જ સાપનું આબાદ રેસ્ક્યુ કર્યું હતું.
સાપના
રેસક્યું બાદમાં
પ્રકૃતિ પ્રેમી ભાવેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ કોઈ ઝેરી સાપ નથી, આ સાપનું નામ ધામણ છે તેમજ ધામણ કોઈને ઇજા કરતું નથી. બાદમાં ધામણને જંગલ વિસ્તારમાં સલામત રીતે મુક્ત કરવામાં
આવ્યું હતું.
Next Story