New Update
![ભરૂચ : અમલેશ્વર ગામ ખાતે વાગરા વિધાનસભા ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-79.jpg)
ભરૂચના અમલેશ્વર ગામ ખાતે વાગરા વિધાનસભા ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું. જેમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામાં અંગે પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતું કે કોંગ્રેસની નેતાગીરીની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભરૂચના અમલેશ્વર ગામ ખાતે વાગરા વિધાનસભાનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું જેમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ હાજર રહી વિવિધ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામાં અંગે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે એક પછી એક લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસની નેતાગીરીની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.
Latest Stories