રાજસ્થાન : ઉદેપુર નજીક કાર તળાવમાં ખાબકતાં ગાંધીનગરના 3 યુવાનોના મોત

New Update
રાજસ્થાન : ઉદેપુર નજીક કાર તળાવમાં ખાબકતાં ગાંધીનગરના 3 યુવાનોના મોત

ગાંધીનગર જિલ્લાના સોનારડા ગામના બે યુવકો અને નરોડાનો એક યુવકનું કાર તળાવમાં

ખાબકતા મોત થયું છે. કુંભલગઢ જતી વેળા પુરઝડપે વળાંક લેતી વેળા અકસ્માત સર્જાયો

હોવાનું જાણવા મળ્યું છે. 

ગાંધીનગર જિલ્લાના સોનારડા અને નરોડાનો એક યુવક મળી ત્રણ મિત્રો રાજસ્થાન ફરવા માટે ગયાં હતાં. તેઓ પોતાની કાર લઇને રાત્રીના સમયે કુંભલગઢ તરફ જઇ રહયાં હતાં ત્યારે કેલવાડા વિસ્તારમાં ઉદેપુર રોડની બાજુમાં તેમની કાર 30 ફૂટ ઉંડા ઔડા તળાવમાં ખાબકી હતી. ડુબી જવાના કારણે ત્રણેય યુવાનોના મોત થયાં છે. આ ત્રણેય યુવકોમાં એકનુ નામ રોનક છે.

બીજાનુ નામ નીલેશ પટેલ અને ત્રીજાનુ નામ મંથન હોવાનું જાણવા મળી રહયું છે.બીજી તરફ ફરવા ગયેલાં ત્રણેય યુવાનો ફોન ઉપાડતાં ન હોવાથી તેમના પરિવારજનોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી. કાર તળાવમાં ખાબકી હોવાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં. તેમણે તળાવમાં ડુબેલા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન નિલેશ અને મંથનના મૃતદેહ મળી આવ્યાં છે જયારે રોનક હજી તળાવના પાણીમાં લાપત્તા છે. ત્રણેય યુવાનો પુર ઝડપે કારમાં જઇ રહયાં હતાં અને વળાંક લેતી વેળા કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહયું છે.

Latest Stories